‎‎‎‎Manish Vora નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અમૂલ ડેરી પ્લાન્ટ બંધ કરે છે 21 તારીખ થી અચોક્કસ મુદ્દત સુધી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવશે. આ પોસ્ટને 9 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કોરોના વાયરસને કારણે 21 માર્ચ, 2020 થી અમૂલના ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવશે? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને vtvgujarati.com દ્વારા 19 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમૂલ કંપની દ્વારા આ પ્રકારે કોઈ જ પ્લાન્ટ બંધ રાખવામાં આવશે એવો પરિપત્ર કે જાહેરાત કરવામાં આવી નથી. લોકો આવી ખોટી અફવાઓથી દૂર રહે એવું અમૂલ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. divyabhaskar.co.in

અમારી વધુ તપાસમાં અમને અમૂલ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર R S Sodhi દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમણે એવી માહિતી આપી હતી કે, “સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. અમૂલ દ્વારા કોઈ પણ ચિલીંગ સેન્ટર બંધ કરવામાં નહીં આવે. અમે પ્રોડક્શન વધારી રહ્યા છીએ.”

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 21 માર્ચ, 2020 થી અચોક્કસ મુદત સુધી અમૂલના ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે એવું કંપનીના એમડી દ્વારા જણાવવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 21 માર્ચ, 2020 થી અચોક્કસ મુદત સુધી અમૂલના ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે એવું કંપનીના એમડી દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર અમૂલ ડેરી દ્વારા કોરોના વાયરસને કારણે અચોક્કસ મુદત સુધી ચિલીંગ સેન્ટર બંધ કરવામાં આવશે...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False