
Gujju Fan Club નામના એક પેજ દ્વારા તારીખ 20 મે 2019ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. “માત્ર 1 અઠવાડિયામાં જ ડાયાબિટીસને જડમૂળમાંથી દૂર કરી શકે છે આ 1 શાકનું સેવન, જાણો કઈ રીતે !” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 362 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા તેનું મંતવ્ય જણાવવામાં આવ્યુ હતુ. તેમજ 880 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક અઠવાડિયામાં ડાયાબિટીસનો રોગ નાબુદ કરી શકાય છે.
Archive | Photo archive | Article Archive
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે ડાયાબિટીસનો રોગ નાબુદ થઈ શકતો હોય તો ગુજરાતી વેબસાઈટ સિવાય અન્ય વેબસાઈટ દ્વારા આ અંગે પોતાના મંતવ્ય આપવામાં આવ્યા જ હોય. તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર “क्या डायाबीटीस का रोग एक हफ्ते में मिट शकता है ?” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની વિગતો પ્રાપ્ત થઈ ન હતી. કદાચ કોઈ વ્યક્તિ દ્વારા જો આ પ્રકારે શક્ય હોય તો યુટ્યુબ પર વિડિયો પણ મુકવામાં આવ્યો હોય તેથી અમે યુટ્યુબ પર “क्या डायाबीटीस का रोग एक हफ्ते में मिट शकता है ?” સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NEXA NEWS દ્વારા શેર કરવામાં આવેલો 2.20નો વિડિયો પ્રાપ્ત થયો હતો. “1 हफ्ते में डायबिटीज़ को जड़ से खत्म करेगी ये 1 सब्जी का सेवन/ Eat Spring Onions To Cure Diabetes” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલો આ વિડિયો અમે ધ્યાનથી સાંભળ્યો પરંતુ જે પ્રકારે હેડિંગ લખવામાં આવ્યું છે. તે પ્રકારે વિડિયોમાં અંદર ક્યાંય પણ તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આપ તે વિડિયો નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે આયુર્વેદના નિષ્ણાંત સાથે વાત કરવાનું નક્કી કર્યુ હતુ અને જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં અભ્યાસ કરી ડોક્ટર બનેલા ગિરિશ કટેશિયા જોડે વાત કરતા તેમને અમને જણાવ્યુ હતુ કે, “આ વાત સાવ ખોટી છે. હજુ સુધી એવી કોઈપણ દવા કે ઉપ્ચાર નથી શોધવામાં આવ્યો કે ડાયાબિટીસના રોગને એક અઠવાડિયામાં જળમુળ માંથી કાઢી નાખે. તેમ જે વાત કરી રહ્યા છો તે સાવ ખોટી વાત છે.”

ત્યારબાદ અમે કોઈ એમડી ડોક્ટર જોડે વાત કરી જાણવા પ્રયત્ન કર્યો કે ખરેખર એક અઠવાડિયામાં ડાયાબિટીસના રોગને નાબુદ કરી શકાય છે. તેથી અમે ડો.કૃણાલ સોલંકી જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વાત 100 ટકા ખોટી છે. મેેડિકલમાં આ પ્રકારનો ઈલાજ ક્યારેય પણ શોધાયો નથી અને ડાયાબિટિસના રોગ માટે તમે જે વાત કરો છો તે શક્ય જ નથી.”

ત્યારબાદ ઉપરોક્ત આર્ટીકલ વાંચતા તેમા પણ આ ઉપ્ચારથી તમને ફાયદો થશે તેવું લખેલુ હતુ. પરંતુ ક્યાંય પણ એવું લખવામાં ન હતુ આવ્યુ કે, આ ઉપ્ચારથી ડાયાબિટિસનો રોગ એક અઠવાડિયામાં જળમુડ માંથી નિકળી જશે. જે આપ નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ક્યાંય પણ સાબિત થતો નથી. કારણ કે, હજુ સુધી ડાયાબિટિસને એક અઠવાડિયા નાબુદ કરી શકે તેવી દવા, ઔષધી, કે કોઈ ઉપ્ચાર શોધાયો જ નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, હજુ સુધી ડાયાબિટિસને એક અઠવાડિયા નાબુદ કરી શકે તેવી દવા, ઔષધી, કે કોઈ ઉપ્ચાર શોધાયો જ નથી.

Title:શું ખેરખર હવે એક અઠવાડિયામાં ડાયાબિટિસનો રોગ મટી જશે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
