શું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Jayswal Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના ગુજરાત ના હિન્દુ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિગબ્રેકિંગ મુકેશ અંબાણીએ Jio સિમની એડ માંથી જેહાદી શાહરૂખ ખાને લાત મારી કાઢ્યો # જય શ્રીરામ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જીઓ સિમ કાર્ડની એપ માંથી શાહરૂખ ખાનને મુકેશ અંબાણી દ્વારા કાઢી મુકવમાં આવ્યો.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, આ પ્રકારની માહિતી સોશિયલ મિડિયામાં આવી ક્યાંથી.? દરમિયાન અમને મુકેશ અંબાણીના નામથી સોશિયલ મિડિયામાં વાયરલ ટ્વિટનો સ્ક્રિનશોટ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

FACEBOOK | ARCHIVE

આમ, આ ટ્વિટ પરથી સોશિયલ મિડિયામાં શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુકવામાં આવ્યો હોવાની વાત ફેલાઈ હતી. શું ખરેખર મુકેશ અંબાણી દ્વારા ટ્વિટ કરી આ માહિતી આપવામાં આવી હતી. તેમજ મુકેશ અંબાણીનું ટ્વિટર પર ઓફિશિયલ એકાઉન્ટ છે કે નહિં તે જાણવા પ્રયત્ન કર્યો હતો. 

સૌપ્રથમ અમે ટ્વિટર પર આ એકાઉન્ટ શોધ્યુ જેના પરથી ટ્વિટ કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ એકાઉન્ટ અમને મુકેશ અંબાણીનું ન હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ ટ્વિટર દ્વારા પણ આ એકાઉન્ટને હટાવી દેવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

Twitter

આ જ રીતે મુકેશ અંબાણીના નામે અન્ય ખોટા ટ્વિટર એકાઉન્ટ બનાવી મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

https://twitter.com/Ambaniindustry/status/1274590047673577473?s=20

ARCHIVE

The wire વેબસાઈટ દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરતા સમાચાર તારીખ 29 જૂન 2020ના પ્રસારિત કર્યા હતા જે તમે નીચે જોઈ શકો છો. 

The wire | Archive

અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે રિલાયન્સ જીઓ હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો અને આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી. અધિકારીના મતે, મુકેશ અંબાણી અથવા તેના પરિવાર પાસે કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી. તેમણે કહ્યું, શાહરૂખ ખાન હજી પણ જિઓના એમ્બેસેડર છે. સોશિયલ મિડિયમાં ખોટી પોસ્ટ વાયરલ થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, શાહરૂખ ખાનને જીઓના એમ્બેસેડર માંથી કાઢી નથી મુક્વામાં આવ્યા અને આ અફવા સોશિયલ મિડિયામાં મુકેશ અંબાણીના નામે કરવામાં આવેલા ખોટા ટ્વિટના સ્ક્રિન શોટથી ફેલાઈ છે.

Avatar

Title:શું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False