શું ખરેખર કેન્દ્ર સરકારે કહ્યુ છે કે ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહિં ખુલે….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Rakesh Jayantilal Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહી ખૂલે – કેન્દ્ર સરકાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહિં ખુલે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યા. 

તેમજ પીઆઈબી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્ચા આ એક અફવા છે. 

ARCHIVE 

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જોડે વાત કરી હતી. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ સૂચના આપવામાં નથી આવી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ સૂચના આપવામાં નથી આવી. લોકોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર કેન્દ્ર સરકારે કહ્યુ છે કે ડિસેમ્બર મહિના સુધી શાળાઓ નહિં ખુલે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False