
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામના ભજનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામનું ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયું છે તેમનો આ અવાજ છે. પરતું ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મૂકવામાં આવેલું ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામનું ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ પ્રેમ ભૂષણ મહારાજે ગાયું છે અને તેમનો જ આ અવાજ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Yagnesh Thakore નામના ફેસબુક યુઝર દ્વારા 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, तुलसी इस संसार में सबसे मिलीओ भाई ना जाने किस रुप में नरेंद्र नारायण मिल जाय ! આશ્ર્ચર્યજનક : આ સાથે નું રામ ભજન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના અવાજમાં :. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામનું ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયું છે તેમનો આ અવાજ છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને આ વીડિયોને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો જેવા અવાજ સાથેનો એક વીડિયો પૂજ્ય પ્રેમ ભૂષણજી મહારાજ નામના એક સત્તાવાર યુટ્યુબ પર 18 માર્ચ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ શબ્દો સાથેનું ભજન તેઓ ગાઈ રહ્યા છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ વીડિયો સાથે નીચે આપવામાં આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં અમને ફરજ પરના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “આ વીડિયો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ કહી રહ્યા છે પરંતુ આ વીડિયોમાં મૂકવામાં આવેલા ભજનમાં જે અવાજ સંભળાઈ રહ્યો છે એ પૂજ્ય પ્રેમ ભૂષણજી મહારાજનો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મૂકવામાં આવેલું ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામનું ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ પ્રેમ ભૂષણ મહારાજે ગાયું છે અને તેમનો જ આ અવાજ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:‘નર શરીર અનમોલ રે પ્રાણી’ એ ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ પ્રેમ ભૂષણ મહારાજે ગાયું છે… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
