જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે બજરંગ દળ વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું.

ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બજરંગ દળ વિરૂદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણમો પ્રાપ્ત થયા હતા.
અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કરીને આ વીડિયો ચેક કર્યો છે. પરિણામે, અમને 17 ફેબ્રુઆરી 2017ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ચેનલ પર પ્રસારિત થયેલો મૂળ વીડિયો પ્રાપ્ત થયો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો કોંગ્રેસ હેડક્વાર્ટરમાં આયોજિત AICCની પ્રેસ બ્રીફિંગનો છે. આમાં તમે 8.39 મિનિટથી વાયરલ ક્લિપ જોઈ શકો છો.
તેના પરથી કહી શકાય કે આ વીડિયો તાજેતરનો નથી, છ વર્ષ જૂનો છે.
આગળ જતાં, અમને 17 ફેબ્રુઆરી 2017ના રોજ પ્રકાશિત બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા એક અહેવાલ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે તે દરમિયાન મધ્યપ્રદેશમાં ISI સાથે જોડાયેલા 11 જાસૂસો પકડાયા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે ત્રણ જાસૂસોના ભાજપ, બજરંગ દળ અને વીએચપી સાથે સંબંધ છે. અને તેના કારણે કોંગ્રેસ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી.
આ વીડિયોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા આ વિશે વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષ 2017નો વીડિયો છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. તેઓ માર્ચ 2020માં ભાજપમાં જોડાયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલનો નથી, પરંતુ વર્ષ 2017નો છે. ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં હતા, ભાજપમાં નહીં.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બજરંગ દળ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: Missing Context
