તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. વધુમાં જશોદાબેન મોદીનું ટ્વિટર પર કોઈ જ સત્તાવાર એકાઉન્ટ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, X પર જશોદા કાકી
👇👇. ફોટોમાં રહેલી ટ્વિટના લખાણમાં એવો દાવો કરવામાં આ રહ્યો છે કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદીએ એવી ટ્વિટ કરી છે કે, “મને એકલી છોડી દીધી અને હવે પરિવાર પરિવાર કરી રહ્યા છે.”

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ જશોદાબેન મોદી દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અમારી વધુ તપાસમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદીના જે ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું એ ખરેખર સત્ય છે કે કેમ? પરંતુ પોસ્ટમાં જે એકાઉન્ટ પરની ટ્વિટ મૂકવામાં આવી છે એ @jasodabenhere નામનું ટ્વિટર એકાઉન્ટ એ જશોદાબેન મોદીનું ઓરિજીનલ નહીં પરંતુ ફેક એટલે કે પેરોડી ટ્વિટર એકાઉન્ટ છે. જેના પર પોસ્ટમાં મૂકવામાં આવેલી ટ્વિટ 4 માર્ચ, 2024 ના રોજ કરવામાં આવી હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ટ્વિટર પર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદીનું કોઈ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ છે કે કેમ? એ સર્ચ કરતાં અમને જશોદાબેન મોદીનું કોઈ જ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અમને પ્રાપ્ત થયું નહતું. પરંતુ અમને આ નામના અન્ય ઘણા બધા ફેક ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયા હતા.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ સંપર્ક જશોદાબેન મોદીનો કરતાં તેઓએ અમને એ જણાવ્યું હતું કે, “તેમનું કોઈ જ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ નથી. તેમના નામે ઘમી બધી વાર સોશિયલ મીડિયા પર આ પ્રકારે ખોટી માહિતી વાયરલ થતી હોય છે તો લોકોને તેના પર વિશ્વાસ ન મૂકવાનું પણ તેઓએ જણાવ્યું હતું.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. વધુમાં જશોદાબેન મોદીનું ટ્વિટર પર કોઈ જ સત્તાવાર એકાઉન્ટ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:જશોદાબેન મોદીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ... જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False