
તાજેતરની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ, પશ્ચિમ બંગાળથી મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો બાંગ્લાદેશ સરહદ પાર કરતા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “ભાજપની જીત બાદ ગેરકાયદેસર ઘુસણખોરો પશ્ચિમ બંગાળ છોડીને બાંગ્લાદેશ તરફ પ્રયાણ કરી રહ્યા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને 25 નવેમ્બર, 2025ના રોજ પશ્ચિમ બંગાળ પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ મળ્યું. ટ્વિટમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ હતો. અગાઉ, વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે SIR લાગુ થયા પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પશ્ચિમ બંગાળ છોડી રહ્યા છે.

ટ્વીટમાં લખ્યું હતું કે, “પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના મુરૂટિયા જિલ્લાના ફુંકોટલા ગામ (બાંગ્લાદેશ સરહદ નજીક સ્થિત)ની મૂર્તિ/દેવી શ્યામા/કાલીની મૂર્તિ/છબીના માથભંગા નદીમાં વિસર્જનનો એક વીડિયો/તસવીર SIRને કારણે મોટા પાયે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રાજ્ય છોડી રહ્યા છે તેમ કહીને ફેલાવવામાં આવી રહ્યો છે. આ નકલી અને ખોટો છે.
કૃપા કરીને આવા નકલી વિડીયો/છબી અને ઉશ્કેરણીજનક સંદેશાઓ શેર કરશો નહીં.
#FakeNewsAlert
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તાજેતરની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પછી મુસ્લિમો પશ્ચિમ બંગાળ છોડીને જતા હોવાનો નથી, આ વીડિયો પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બાંગ્લાદેશ સરહદ નજીક ફુંકોટલા ગામમાં દેવી કાલીની મૂર્તિ વિસર્જનનો જૂનો વીડિયો છે.


