ખાન સરનું સત્ય નામ ફૈઝલ ખાન છે, તે મુળ યુપીના ગોરકપુરના છે. તેમજ તેઓ મુસ્લિમ સમુદાયથી આવે છે. તેમના પ્રિસન્સિપાલ દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરી હતી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે. ખાન સર દ્વારા એમસપી અંગે માહિતી આપી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખાન સર મુળ હિન્દુ સમુદાયથી આવે છે પરંતુ તેમણે તેમનું નામ ખાન સર રાખ્યુ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ખાન સર મુળ હિન્દુ સમુદાયથી આવે છે પરંતુ તેમણે તેમનું નામ ખાન સર રાખ્યુ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ખાન સરનું નામ અને તેમના વિશે જાણવા તેમના કોચિંગનો સંપર્ક સાદ્યો હતો. પરંતુ અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને awib.org દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, ખાન સરનું ઓરિજનલ નામ ફૈઝલ ખાન છે. તેઓ મુળ યુપીના ગોરખપુરના રહેવાસી છે. તેમજ તેમણે અભ્યાસ દેવરિયાની પરમાર મિશન શાળામાંથી કર્યો છે. તેમજ તેમના પિતાનું નામ ઈકબાલ અહેમદ ખાન છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ તકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે તેમની સાથે ભણાવતા સાથી શિક્ષક, તેમના શાળાના પ્રિસન્સિપાલ, તેઓ દેવરિયામાં જે રેસ્ટોરન્ટમાં જમતા તેના માલિકનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ, જેમણે પૃષ્ટી કરી હતી કે, ખાન સરનું ઓરિજનલ નામ ફૈઝલ ખાન છે. તેઓ મુસ્લિમ સમુદાય થી આવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત તાય છે. કારણ કે, ખાન સરનું સત્ય નામ ફૈઝલ ખાન છે, તે મુળ યુપીના ગોરકપુરના છે. તેમજ તેઓ મુસ્લિમ સમુદાયથી આવે છે. તેમના પ્રિસન્સિપાલ દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ખાન તરીકે પ્રખ્યાત બિહારના શિક્ષક હિન્દુ હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
