
Zee 24 Kalak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “’નિસર્ગ‘ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યું, જુઓ આફતના ભયાનક દ્રશ્યો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 462 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્ર્રતિભાવો આપ્યા હતા. તેમજ 102 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાંના આ દ્રશ્યો છે.”

FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિઓ છેલ્લા સાત મહિનાથી ઇન્ટરનેટ પર ઉપલંધ છે. કલ્યાણ ક્રાંતિ સમાચાર દ્વારા આ વિડિઓ 25 ઓક્ટોબર 2019ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
વીડિયો અનુસાર અરબી સમુદ્રમાં કર્ણાટકના કાર્વાર કાંઠા નજીક માછીમારો દ્વારા આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. આ જ વીડિયો વિદ્યાભારતી યુટ્યુબ ચેનલ પર પણ શેર કરવામાં આવ્યો હતો.
દિગ્વિજય ન્યુઝે 25 ઓક્ટોબર, 2019 ના રોજ તેના ફેસબુક પેજ પર પણ પોસ્ટ કર્યો હતો , આ વીડિયો કરવાર કિનારે નજીક ઉતારવવામાં આવ્યો હોવાનું જણાવવા આવ્યુ છે.
ઈન્ડિયા ટુડે અને લોકસત્તા અનુસાર ક્યાર તોફાન 25 ઓક્ટોબર, 2019ના રોજ કર્ણાટક પહોંચ્યું હતું. અરબી સમુદ્રમાં નીચા દબાણવાળાને કારણે કોંકણ અને ગોવા પાસે ક્યાર વાવાઝોડાના કારણે ખતરનાક ચક્રવાતનું નિર્માણ થયુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિઓ ઇન્ટરનેટ પર સાત મહિનાથી ઉપલબ્ધ છે. એટલે કે, જૂના વિડિયોને હાલના નિસર્ગ વાવાઝોડાનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો છે. જો કે, આ વિડિયો કોણે અને ક્યાં શૂટ કર્યો તે વિશે સચોટ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ આ વિડિયો હાલના નિસર્ગ વાવાઝોડાનો નથી તે વાત સ્પષ્ટ છે.

Title:શું ખરેખર મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
