શું ખરેખર 1 જાન્યુઆરી 2025થી બેંક ચેક નાખ્યાના 2 ક્લાકમાંજ ક્લિયર થઈ જશે…? જાણો શું છે સત્ય…. 

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, 1 જાન્યુઆરી 2025થી બેંકમાં ચેક ભર્યાના થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ અને રિસિવરના બેંકના ખાતામાં રૂપિયા જમા થઈ જશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “1 જાન્યુઆરી 2025થી આરબીઆઈના નવા નિયમ મુજબ બેંકમાં ચેક ભર્યાના 2 ક્લાકમાં જ ચેક ક્લિયર થઈ જશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને મનીકંટ્રોલ વેબસાઈટ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નવી સિસ્ટમમાં ક્લિયરિંગ ઝડપી અમલમાં આવશે જે ચેક ક્લિયર થવામાં હાલમાં 2 દિવસ લાગે છે, તે ભવિષ્યમાં ચેક ભર્યાના તે જ દિવસે ક્લિયર થઈ જશે, આરબીઆઈ ગવર્નર દ્વારા આ પ્રસ્તાવિત જાહેરાત કરવામાં આવી છે.” 

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને આરબીઆઈ દ્વારા પ્રસારિત એક પ્રેસ રિલિઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં રેગ્યુલેશન અને પેમેન્ટ સિસ્ટમ મામલે માહિતી આપવામાં આવી હતી. જેમાં વર્તમાન સમયમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ હેઠળ ચેકને ક્લિયર થતા બે દિવસ સુધીનો સમય લાગતો હોય છે. પરંતુ ગ્રાહકોના સેટલમેન્ટ રિસ્કને ઘટાડવા થતા ચેક ક્લિયરિંગ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે બેચ પ્રોસેસિંગ સિસ્ટમમાંથી કન્ટિન્યૂઅસ ક્લિયરિંગ સિસ્ટમ જેમાં રિયલ ટાઇમ સેટલમેન્ટ થઈ શકે તે સિસ્ટમમાં જવાનો પ્રસ્તાવ છે. આ નવી સિસ્ટમમાં ચેક જમા કરવામાં આવ્યા બાદ સ્કૅન થશે અને પ્રોસેસ થઈને બિઝનેસ વર્કિંગ ડેના સમયગાળામાં ગણતરીના કલાકોમાં સીધા પાસ થઈ જશે.”

તેમજ અમે અમદાવાદની એસબીઆઈ બેંકના મેનેજર સાથે વાત કરી હતી, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આરબીઆઈની નવી સિસ્ટમ પ્રસતાવિત છે, તેને હજુ લાગુ કરવામાં આવી નથી, વર્તમાનમાં ચેક ક્લિયર થવામાં મહત્મ બે દિવસનો સમય લાગે છે. નવી સિસ્ટમ હજુ ક્યાંય પણ લાગુ કરવામાં આવી નથી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ મેસેજ તદ્દન ખોટો છે. આ મેસેજમાં આપેલી માહિતી મુજબ હજુ નવી કોઈ સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી. આ સિસ્ટમ પ્રસાવિત છે. તેનો અમલ કરવામાં આવ્યો નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર 1 જાન્યુઆરી 2025થી બેંક ચેક નાખ્યાના 2 ક્લાકમાંજ ક્લિયર થઈ જશે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading