શું ખરેખર ભૂજના લોકોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. હાલમાં આ પ્રકારે કોઈ એલર્ટ આપવામાં આવ્યુ નથી. આ ઓપરેશન સિંદુર સમયનું આ બુલેટિયન છે. કચ્છ ભુજના લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે.

દેશમાં તમામ લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “કચ્છ ભુજમાં સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા અને ઘરની બહાર ન નીકળવા સુચના આપવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કચ્છ ભુજમાં સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા અને ઘરની બહાર ન નીકળવા સુચના આપવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ હાલમાં આ પ્રકારે એલર્ટ કરવામાં આવ્યુ હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે ઝી 24ક્લાકના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ ચકાસવાનું શરૂ કર્યુ હતુ. જેના પરિણામે અમને આ ન્યુઝ બુલેટિયન ઝી24 કલાકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયુ હતુ.

જે 10 મે 2025ના અપલોડ કરવામાં આવ્યુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કચ્છમાં પાકિસ્તાનનું નાપાક કૃત્ય, સરહદી વિસ્તારના ગામડાઓ પર કરેલા 6 ડ્રોન હુમલા કરાયા નાકામ, કચ્છના ભુજમાં વાગી સાયરન, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ…..

તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ માહિતી સાથે ઝી 24કલાકના ઓફિશિયલ ઈનસ્ટાગ્રામ પેજ પર પણ આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. હાલમાં આ પ્રકારે કોઈ એલર્ટ આપવામાં આવ્યુ નથી. આ ઓપરેશન સિંદુર સમયનું આ બુલેટિયન છે. કચ્છ ભુજના લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ભૂજના લોકોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *