
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રનવે પર લાઈનસર પડેલા વિમાનોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો તેથી 42 મહાનુભાવો અમેરિકા ત્યાગીને જતાં રહેવાના હોવાથી તેમના માટે વિમાનો તૈયાર રાખવામાં આવ્યા છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રનવે પર લાઈનસર પડેલા વિમાનોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને અમેરિકામાં યોજાયેલી તાજેતરની ચૂંટણી કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ટ્રમ્પએં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો તેથી ૪૨ મહાનુભાવો અમેરિકા ત્યાગીને જતાં રહેવાના હોવાથી તેમના માટે વિમાનો તૈયાર રાખવામાં આવ્યા છે !!. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો તેથી 42 મહાનુભાવો અમેરિકા ત્યાગીને જતાં રહેવાના હોવાથી તેમના માટે વિમાનો તૈયાર રાખવામાં આવ્યા છે તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર economictimes.indiatimes.com નામની વેબસાઈટ પર 11 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. popularmechanics.com | news.viasat.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રનવે પર લાઈનસર પડેલા વિમાનોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને અમેરિકામાં યોજાયેલી તાજેતરની ચૂંટણી કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો અમેરિકા છોડીને જઈ રહેલા 42 મહાનુભાવોના નામે વાયરલ થઈ રહેલા વિમાનના ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
