Fake Alert: ટ્રેનમાં ચઢતી વખતે કુતરાનું મોત થયુ નથી… જાણો શું છે સમગ્ર ઘટના….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં આરપીએફની મદદથી કુતરાને બચાવી લેવામાં આવ્યો હતો. તેનું મોત થયુ હોવાની વાત તદ્દન ખોટી છે.

રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક માણસ તેના કૂતરા સાથે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. પરંતુ થોડા સમય પછી કૂતરો ચાલતી ટ્રેન નીચે આવી જાય છે. આ વીડિયો શેર કરીને, દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ અકસ્માતમાં કૂતરાનું મૃત્યુ તેના માલિકની બેદરકારીને કારણે થયું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ અકસ્માતમાં કૂતરાનું મૃત્યુ તેના માલિકની બેદરકારીને કારણે થયું છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે, અમે સંબંધિત કીવર્ડનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યૂઝ 18ની દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.જે 2 એપ્રિલ 2025ના રોજ પ્રકાશિત કરાયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વાયરલ ઘટનાનો વીડિયો ઝાંસીના વીરંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 નો છે અને તે મુંબઈ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનો છે. ખરેખર, મહિલા મુસાફર ઉપાસના ટ્રેનમાં મુંબઈ જઈ રહી હતી. તેણીએ તેના કૂતરા માટે બુકિંગ પણ કરાવ્યું હતું અને તેની સાથે મુસાફરી કરી રહી હતી. જ્યારે ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી નીકળી અને ઝાંસી પહોંચી. આ પછી થોડી વારમાં કૂતરો ટ્રેનમાંથી બહાર નીકળી ગયો. જ્યારે ટ્રેન પાછી ફરવા લાગી અને કૂતરાને ટ્રેનમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સમય દરમિયાન તે અકસ્માતનો ભોગ બન્યો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને 03 એપ્રિલ 2025ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો જે અનુસાર, કૂતરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો ન હતો. આરપીએફ-રેલ્વે સ્ટાફની મદદથી તેમનો જીવ બચી ગયો. કૂતરો હવે તેના પરિવાર સાથે સુરક્ષિત છે.

Archive

તેમજ ધ ઈન્ડિયન એક્સપ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત અહેવાલમાં ઝાંસી રેલવે સ્ટેશનના પીઆરઓ મનોજ કુમાર સિંઘનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ ઘટના 29 માર્ચના બનવા પામી હતી, આ ઘટના બાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી આરપીએફની મદદથી કુતરાને બચાવી લેવામાં આવ્યો હતો અને ફરી તેને ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં આરપીએફની મદદથી કુતરાને બચાવી લેવામાં આવ્યો હતો. તેનું મોત થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Alert: ટ્રેનમાં ચઢતી વખતે કુતરાનું મોત થયુ નથી… જાણો શું છે સમગ્ર ઘટના….

Fact Check By: Frany Karia 

Result: Misleading