પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો ઉત્તર પ્રદેશના છે. આમાંથી એક પણ ફોટો નેપાળનો નથી. આ તમામ ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં એક ચાર ફોટોનો કોલોપ્સ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લાઉડ સ્પિકર દુર કરવાની કામગીરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો નેપાળમાં મસ્જિદ પરથી લાઉડ સ્પિકર દૂર કરવાની કાર્યવાહીના છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો નેપાળમાં મસ્જિદ પરથી લાઉડ સ્પિકર દૂર કરવાની કાર્યવાહીના છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
પહેલી ફોટો
સૌપ્રથમ અમે પહેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દૈનિક ભાસ્કરનો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સીતાપુરમાં ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદેસર લાઉડસ્પીકર દૂર કરાયા, સરકાર અને કોર્ટના નિર્દેશ પર 20 થી વધુ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી.”

બીજી તસ્વીર
તેમજ વધુ સર્ચ કરતા અમે બીજી તસ્વીરને પણ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દૈનિક ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બુલંદશહેરમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકરો દૂર કરવામાં આવ્યા, વહીવટીતંત્રે ઝુંબેશ શરૂ કરી અને 304 દૂર કર્યા, 400 થી વધુનું વોલ્યુમ ઘટાડી દેવામાં આવ્યું.”

ત્રીજી તસ્વીર
તેમજ વધુ સર્ચ કરતા અમને ત્રીજી તસ્વીરને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દૈનિક ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બુલંદશહેરમાં ધાર્મિક સ્થળો પરથી 60 થી વધુ લાઉડસ્પીકર દૂર કરાયા, વહીવટીતંત્રે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઝુંબેશ શરૂ કરી, મદરેસાઓને લાઉડસ્પીકર ભેટમાં આપ્યા.”

ચોથી ફોટો
અમે છેલ્લી ફોટોને પણ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “યુપીમાં 11000 લાઉડસ્પીકર દૂર કરાયા, 35000ના અવાજ ઓછા કરાયા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોઈપણ ધર્મના લોકો તેમના ધાર્મિક વિધિઓ દરમિયાન લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે પરિસરની બહાર અવાજ સંભળાવો જોઈએ નહીં. જો અન્ય લોકોને અસુવિધા થાય છે, તો કાર્યવાહી કરવામાં આવશે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા તમામ ફોટો ઉત્તર પ્રદેશના છે. આમાંથી એક પણ ફોટો નેપાળનો નથી. આ તમામ ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:યુપી પોલીસ કાર્યવાહની જૂના વીડિયોને નેપાળના નામે વાયરલ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


