શું ખરેખર બનાસકાંઠાની નડાબેટ સીમા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મે મહિનાનો છે. હાલના નડાબેટ બોર્ડર દર્શન માટે ખુલી જ છે. બંધ હોવાની વાત તદ્દન ખોટી છે. વાયરલ પોસ્ટને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.

હાલમાં એક ન્યૂઝ ચેનલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા નજીક આવેલી નડાબેડ બોર્ડરના નામે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલી નડાબેટ બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બનાસકાંઠાની બોર્ડરર પર આવેલી નડાબેટ બોર્ડર સુરક્ષાના કારણે બંધ કરી દેવામાં આવી છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ તારીખ 14 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બનાસકાંઠાની બોર્ડરર પર આવેલી નડાબેટ બોર્ડર સુરક્ષાના કારણે બંધ કરી દેવામાં આવી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી જેમાં જણાવવામાં આવ્યુ હોય કે નડાબેટ બોર્ડર હાલમાં બંધ કરવામાં આવી છે.

તેથી અમે આ અંગે વધુ સર્ચ કરતા અમને વીટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ન્યુઝ બુલેટિયન પ્રાપ્ત થયુ હતુ. જે 9 મે 2025ના પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ અમે ઉત્તર ગુજરાતના સિનિયર પત્રકારનો પણ સંપર્ક સાધ્યો હતો અને નડાબેટ બોર્ડર બંધ કરી દેવામાં આવી છે કે કેમે તમે અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ મેસેજ જૂનો છે. હાલ સંદર્ભમાં ખોટો છે. હાલ નડાબેટ બોર્ડર દર્શન માટે ખુલી જ છે. આ મેસેજને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મે મહિનાનો છે. હાલના નડાબેટ બોર્ડર દર્શન માટે ખુલી જ છે. બંધ હોવાની વાત તદ્દન ખોટી છે. વાયરલ પોસ્ટને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

xa
Avatar

Title:શું ખરેખર બનાસકાંઠાની નડાબેટ સીમા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *