સરકારે સમોસા, જલેબી અને લાડુ પર ‘ચેતવણી લેબલ’ લગાવવાનો નિર્દેશ આપ્યો નથી… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

કેટલીક સમાચાર એજન્સીઓ અને મીડિયા આઉટલેટસે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દારૂ અને તમાકુ ઉત્પાદનોની જેમ સમોસા, જલેબી અને લાડુ જેવી ખાદ્ય ચીજો પર ચેતવણી લેબલ લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 જૂલાઈ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દારૂ અને તમાકુ ઉત્પાદનોની જેમ સમોસા, જલેબી અને લાડુ જેવી ખાદ્ય ચીજો પર ચેતવણી લેબલ લગાવવાનો નિર્દેશ આપ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

કીવર્ડ સર્ચ કર્યા પછી, એવું જાણવા મળ્યું કે વાયરલ દાવો ગેરમાર્ગે દોરનારો છે.

હકીકતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 21 જૂન, 2025ના રોજ ભારતીયોમાં વજન વધવાના જોખમો વિશે લોકોને જાગૃત કરવા માટે એક ભલામણ પત્ર જારી કર્યો હતો.

આરોગ્ય મંત્રાલયનો આ ભલામણ પત્ર તમામ વિભાગોના સચિવોને મોકલવામાં આવ્યો હતો. તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી સંસ્થાઓને આ પગલાં લેવા માટે કહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, “રોજિંદા ખાદ્ય પદાર્થોમાં તેલ અને ખાંડનું પ્રમાણ વધવાથી ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવા રોગોનો ભય રહે તેવી શક્યતા છે. લોકોએ તેમના આહારમાં ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ અને કામ પર શારીરિક પ્રવૃત્તિ માટે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.”

જોકે, આ જગ્યાએ ક્યાંય સમોસા, જલેબી અને લાડુ જેવી ખાદ્ય ચીજોનો ઉલ્લેખ નથી.

વધુમાં, પત્ર નીચે મુજબ ત્રણ મુખ્ય સૂચનો આપે છે.

  1. કાર્યસ્થળો અને જાહેર સ્થળોએ લોકોને આ ખોરાકના વધુ પડતા સેવનના સ્વાસ્થ્ય જોખમો વિશે માહિતી આપવા માટે પોસ્ટર અથવા ડિજિટલ બોર્ડ લગાવવા જોઈએ.
  2. સરકારી લેટરહેડ, પરબિડીયાઓ, નોટપેડ, ફોલ્ડર વગેરે પર આરોગ્ય સંદેશાઓ અને માહિતી છાપવી જોઈએ, જેથી લોકોને દરરોજ સ્થૂળતા ટાળવા અને સ્વસ્થ રહેવાની યાદ અપાવવામાં આવે.
  3. સ્વસ્થ ભોજન લો અને કામ પર શારીરિક પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરો. ફળો, શાકભાજી, ઓછી ચરબીવાળા ખોરાકનો સમાવેશ કરો, ભોજનમાં ખાંડવાળા પીણાંનું પ્રમાણ ઓછું કરો, લોકોને સીડીનો ઉપયોગ કરવા, કામથી ટૂંકા વિરામ લેવા અને હળવી કસરત કરવા માટે પ્રોત્સાહિત કરો અને ચાલવા માટે યોગ્ય સ્થાનો પ્રદાન કરો.

તમે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ આ પત્રિકા PIB ફેક્ટ-ચેકના ટ્વિટર એકાઉન્ટ પર પણ જોઈ શકો છો.

મીડિયા દ્વારા વાયરલ દાવાને સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 15 જુલાઈના રોજ PIB દ્વારા એક પરિપત્ર બહાર પાડ્યો, જેમાં વાયરલ દાવાનું ખંડન કરવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે, “કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ લગાવવાનો નિર્દેશ આપ્યો નથી. આ મીડિયા અહેવાલો પાયાવિહોણા, ખોટા અને ભ્રામક છે.”

PIB ફેક્ટ-ચેકે પણ ટ્વીટ કર્યું છે કે વાયરલ દાવો ખોટો અને ભ્રામક છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા પરંપરાગત ભારતીય ખોરાક પર ચેતવણી લેબલ લગાવવાનો નિર્દેશ આપ્યો નથી. આ ખોટો દાવો વાયરલ થઈ રહ્યો હોવાથી તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સરકારે સમોસા, જલેબી અને લાડુ પર ‘ચેતવણી લેબલ’ લગાવવાનો નિર્દેશ આપ્યો નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *