
તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા અનંત અંબાણી અને તેની પત્ની રાધિકાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભમાં અનંત અંબાણીએ રેઈનકોટ પહેરીને સ્નાન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા અનંત અંબાણી અને તેની પત્ની રાધિકાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં અનંત અંબાણીએ રેઈનકોટ નહીં પરંતુ કુર્તો અને પાયજામો પહેર્યો છે પરંતુ કુર્તો નદીમાં ભીનો થયો હોવાથી એ રેઈનકોટ જોવો લાગી રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પણ કાંઈ રેઈનકોટ પહેરીને થોડું હોય. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભમાં અનંત અંબાણીએ રેઈનકોટ પહેરીને સ્નાન કર્યું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું કે, આજ ફોટો સાથેના વીડિયો સમાચાર ANI દ્વારા 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પ્રયાગરાજ પહોંચ્યો.
આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, અનંત અંબાણીએ જે કૂર્તો પહેર્યો છે જ કૂર્તો તમે વાયરલ ફોટોમાં જોઈ શકો છો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અનંત અંબાણીએ રેઈનકોટ પહેર્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. નીચે તમે અનંત અંબાણીનો કૂર્તો પહેરેલો ફોટો જોઈ શકો છો.
અનંત અંબાણીના આજ કૂર્તો પહેરેલા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. Daily Trending News | Business Today | India Today
Bollywood Fair નામની એક યુટ્યુબ ચેનલ પર અમને અન્ય એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે અનંત અંબાણીએ પહેરેલો કૂર્તો સ્પષ્ટ રીતે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા અનંત અંબાણી અને તેની પત્ની રાધિકાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં અનંત અંબાણીએ રેઈનકોટ નહીં પરંતુ કુર્તો અને પાયજામો પહેર્યો છે પરંતુ કુર્તો નદીમાં ભીનો થયો હોવાથી એ રેઈનકોટ જોવો લાગી રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો મહાકુંભમાં નદીમાં રેઈનકોટ પહેરીને સ્નાન કરી રહેલા અનંત અંબાણીના વાયરલ ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
