
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમાચારનો ફોટો અમર ઉજાલાનો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया गधों का दीदार… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચાર જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. હકીકતમાં સમાચારપત્રમાં એવું લખેલું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया शेरों का दीदार… આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમાચારનો ફોટો અમર ઉજાલાનો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया गधों का दीदार….
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ અમને એ જાણવા મળ્યું હતું કે, આ સમાચારપત્ર અમર ઉજાલાનો ફોટો છે. ફોટોમાં જ અમર ઉજાલા લખેલું ઉપરની ડાબી બાજુએ જોઈ શકાય છે.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમર ઉજાલા સમાચારપત્રમાં આ સમાચાર ક્યારે પ્રસારિત કરવામાં આવ્યા હતા એ જાણવાની કોશિશ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, આ સમાચાર 4 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. તો અમે એ દિવસનું ઈ પેપર સર્ચ કરતાં અમને આ સમાચાર જોવા મળ્યા હતા.
નીચે તમે અમર ઉજાલા સમાચારપત્રનો એડિટેડ વાયરલ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચાર જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. હકીકતમાં સમાચારપત્રમાં એવું લખેલું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया शेरों का दीदार… આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered
