શું ખરેખર અરવિંદ કેજરીવાલે તે મોદી ભક્ત હોવાનું કહ્યુ…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મોદીનો ભક્ત હોવાની વાત નથી કરતા પરંતુ તેઓ આંબેડકરના ભક્ત હોવાનું કહી રહ્યા છે. આ વીડિયોને ડીજીટલી એડિટ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આમ આદમી પાર્ટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મળ્યો. આ વીડિયો 19 ડિસેમ્બર 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, “મિત્રો, હું મારી જાતને ફક્ત આંબેડકરજીનો ચાહક નથી માનતો, હું તેમનો ભક્ત છું. મેં તેમના વિશે પહેલા પણ ઘણું વાંચ્યું હતું, પરંતુ જ્યારે હું જેલમાં ગયો ત્યારે મેં તેમનું જીવનચરિત્ર ઘણી વાર વાંચ્યું. તેમનું જીવનચરિત્ર વાંચવાથી ઘણી પ્રેરણા મળે છે, તેમણે જેટલો સંઘર્ષ કર્યો, મને લાગે છે કે જીવનમાં આટલો સંઘર્ષ કરનારા લોકો બહુ ઓછા હશે.” 

ત્યારબાદ અમને 19 ડિસેમ્બર 2024ના રોજ પ્રકાશિત થયેલ ટાઈમ્સ નાઉનો અહેવાલ મળ્યો. અહેવાલમાં જણાવાયું છે કે, “આપના રાષ્ટ્રીય સંયોજકે દાવો કર્યો હતો કે શાહે આ ટિપ્પણીઓ જાણી જોઈને કરી હતી જેથી તેઓ (ભાજપ) આંબેડકર વિશે શું વિચારે છે તે વ્યક્ત કરી શકાય. “હું ફક્ત મારી જાતને આંબેડકરનો ચાહક નથી માનતો – હું તેમનો ભક્ત છું. મેં તેમના વિશે પહેલા ઘણું વાંચ્યું હતું, પરંતુ જ્યારે હું જેલમાં હતો, ત્યારે મેં તેમનું જીવનચરિત્ર ઘણી વખત વાંચ્યું. તેમની જીવનકથા પ્રેરણાનો ઊંડો સ્ત્રોત છે,” કેજરીવાલે કહ્યું. 

તેમજ વાયરલ વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મોદીનો ભક્ત હોવાની વાત નથી કરતા પરંતુ તેઓ આંબેડકરના ભક્ત હોવાનું કહી રહ્યા છે. આ વીડિયોને ડીજીટલી એડિટ કરવામાં આવ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલે તે મોદી ભક્ત હોવાનું કહ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *