શું ખરેખર હાલમાં ચેન્નઈમાં ભારે પવનના કારણે વિમાન ફંગોળાઈ ગયુ…? જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ડિસેમ્બર 2024માં આવેલા ફેંગલ ચક્રવાત દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિમાન લેન્ડિંગ દરમિયાન ફંગોળાઈ ગયુ નથી.

હાલમાં ગુજરાતની સાથે સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હાલમાં એક પ્લેન લેન્ડિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિમાન રન-વે પર લેંન્ડિગ થતા સમયે ભારે પવનના કારણે ફંગોળાઈ જાય છે અને ફરી હવામાં ઉડી જાય છે.  આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં થયેલા વાતાવરણમાં પલટા બાદ ચેન્નઈ એરપોર્ટ પર ભારે પવનના કારણે વિમાન ફંગોળાઈ ગયુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં થયેલા વાતાવરણમાં પલટા બાદ ચેન્નઈ એરપોર્ટ પર ભારે પવનના કારણે વિમાન ફંગોળાઈ ગયુ હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 1 ડિસેમ્બર 2024ના એનડીટીવી દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રસારિત કર્યો હતો અને માહિતી આપી હતી કે, “ચક્રવાત ફેંગલના લેન્ડફોલ પહેલા ચેન્નાઈમાં લેન્ડિંગ માટે સંઘર્ષ કરી રહેલા ઈન્ડિગોના વિમાનનો એક વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે શહેરમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાતા ભારે તોફાન વચ્ચે વિમાન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવું જોવા મળે છે. છેલ્લી ક્ષણે, તે લેન્ડિંગ રદ કરે છે અને ઉડી જાય છે. ઈન્ડિગોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે મુંબઈ-ચેન્નાઈ ફ્લાઇટને પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હતો, જેમાં વરસાદ અને તોફાની પવનનો સમાવેશ થતો હતો, તેથી તે ફરવા ગઈ હતી – જે સામાન્ય રીતે જ્યારે સલામત લેન્ડિંગ પ્રાપ્ત કરી શકાતું નથી ત્યારે કરવામાં આવે છે.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને ડીએનએઈન્ડિયાન્યુઝ દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો અને આ જ માહિતી આપવામાં આવી હતી જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા 1 ડિસેમ્બર 2024ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ડિસેમ્બર 2024માં આવેલા ફેંગલ ચક્રવાત દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિમાન લેન્ડિંગ દરમિયાન ફંગોળાઈ ગયુ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર હાલમાં ચેન્નઈમાં ભારે પવનના કારણે વિમાન ફંગોળાઈ ગયુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *