શું ખરેખર નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

7 જાન્યુઆરી 2025ના વહેલી સવારે નેપાળ-તિબેટ તેમજ ભારતના ઉત્તરી રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સર્કલ પર ભૂકંપના કારણે લોકોને એકઠા થતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્યો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.  

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતક દ્વારા 1 મે 2015ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “25મી એપ્રિલે નેપાળમાં આવેલા ભૂકંપના સીસીટીવી ફૂટેજ બતાવે છે કે ભૂકંપ કેટલી તીવ્રતા પર આવ્યો હતો. એક નજર નાખો.” 

ઉપરોક્ત પરિણામ પરથી અમને સમાન વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વર્ષ 2015માં અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં આવેલા ભૂકંપ દરમિયાન ત્રિપુરેશ્વર ચોકના CCTV ફૂટેજ.” તેમજ આ ઓરિજનલ સીસીટીવી ફૂટેજમાં સમય અને તારીખ પણ વાંચવા મળે છે.

ARCHIVE

તેમજ વધુ સર્ચ કરતા અમને India todayનો અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા. જેમાં માંહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો 25 એપ્રિલ 2015નો છે. 2015માં નેપાળમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ધરતીકંપે વિનાશનું પગેરું પણ છોડી દીધું હતું અને કાઠમંડુ અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં વિનાશ કર્યો હતો. તે વર્ષે ભૂટાન, તિબેટ અને બાંગ્લાદેશના ભાગોમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. તેમજ વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, આ વીડિયો ત્રિપુરેશ્વર ચાઉન ખાતે લેવામાં આવ્યો હતો અને જે પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી તે દિવંગત રાજા ત્રિભુવન શાહની હતી.”

તેમજ ત્રિપુરેશ્વર ચોકના ગુગલ સ્ટ્રીટ વ્યૂ સાથે વાયરલ વીડિયોની સરખામણીએ પુષ્ટિ મળી છે કે વીડિયો ખરેખર એ જ સર્કલનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં નેપાળમાં આવેલા ભૂકંપ દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ દરમિયાનનો આ વીડિયો છે. આ વીડિયોને હાલના ભૂકંપના વીડિયો સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia  

Result: Misleading