
તાજેતરમાં સોશિયલ મીડિયા પર થિયેટરમાં ફૂટી રહેલા ફટાકડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પુષ્પા 2 ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ તો એ ફિલ્મ જોતા સમયે થિયેટરમાં ફોડવામાં આવેલા ફટાકડાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં થિયેટરમાં ફૂટી રહેલા ફટાકડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રિલીઝ થયેલી પુષ્પા 2 ફિલ્મ જોવા સમયનો નહીં પરંતુ વર્ષ 2023 માં મહારાષ્ટ્રના માલેગાંવમાં ટાઈગર-3ના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં થયેલી આતશબાજીનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 8 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક મહાનુભાવે ‘પુષ્પા 2’ જોઈને સાવ ભંગાર હોવાનો રીવ્યુ આપ્યો હતો. ખાસ તેમના માટે આ વીડિયો.. કોઈ ગુજરાતી, ઇવન બૉલીવુડ ફિલ્મનો આવો ક્રેઝ જોયો છે? આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પુષ્પા 2 ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ તો એ ફિલ્મ જોતા સમયે થિયેટરમાં ફોડવામાં આવેલા ફટાકડાનો આ વીડિયો છે.
https://archive.org/details/video-convert-1733744486831
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર એબીપી અસ્મિતા દ્વારા 13 નવેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મહારાષ્ટ્રના માલેગાંવમાં ટાઈગર-3ના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં આતશબાજી થતા ભાગદોડ મચી.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. India Today | NDTV
આજ માહિતી સાથેના સમાચાર ઝી 24 કલાક દ્વારા પણ 13 નવેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં થિયેટરમાં ફૂટી રહેલા ફટાકડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રિલીઝ થયેલી પુષ્પા 2 ફિલ્મ જોવા સમયનો નહીં પરંતુ વર્ષ 2023 માં મહારાષ્ટ્રના માલેગાંવમાં ટાઈગર-3ના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં થયેલી આતશબાજીનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો પુષ્પા 2 ફિલ્મ માટે થિયેટરમાં થયેલી આતશબાજીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
