
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે 12 ક્રૂ મેમ્બરો મોતને ભેટ્યા તેમનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો અને મોતને ભેટેલા 12 ક્રૂ મેમ્બરોનો નથી. આ વીડિયો અંગેની સ્પષ્ટતા વીડિયોમાં દેખાઈ રહેલી ફ્લાઈટ એટેન્ડેન્ટે કરી છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કે અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *આ માસૂમ દીકરીઓ**તેઓ ગઈકાલે વિમાનમાં હતા**આજે કોઈ જીવિત નથી**ભગવાન એમના આત્મા ને શાંતિ આપે 🙏🏻🙏🏻🙏🏻. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે 12 ક્રૂ મેમ્બરો મોતને ભેટ્યા તેમનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયોમાં દેખાઈ રહેલી ફ્લાઈટ એટેન્ડેન્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. આ એકાઉન્ટ યશસ્વી શર્મા (@yashasviexplorer)ના નામે છે. આ એકાઉન્ટ પર આ વીડિયો 9 જૂન, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો 12 જૂન, 2025ના એર ઈન્ડિયાના ક્રેશ પહેલાંનો છે.
પોસ્ટના કોમેન્ટ સેક્શનને જોતા, અમને યશસ્વી શર્માની એક કોમેન્ટ મળી જેમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે સુરક્ષિત છે. તેણે લખ્યું છે કે, “અમારો સંપર્ક કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું સુરક્ષિત છું અને અત્યારે મુંબઈમાં છું. જે બન્યું છે તેનાથી હું ખૂબ જ દુ:ખી છું અને હૃદયથી ભાંગી પડી છું. આ અમારા માટે ખૂબ જ મુશ્કેલ સમય છે.”
અમારી વધુ તપાસમાં અમને આ સિવાય યશસ્વી શર્માની બીજી રીલ મળી. જેમાં તેણે સ્પષ્ટતા કરી છે કે, તે બિલકુલ સ્વસ્થ છે. વાયરલ દાવો ખોટો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો અને મોતને ભેટેલા 12 ક્રૂ મેમ્બરોનો નથી. આ વીડિયો અંગેની સ્પષ્ટતા વીડિયોમાં દેખાઈ રહેલી ફ્લાઈટ એટેન્ડેન્ટે કરી છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કે અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટેલા 12 ક્રૂ મેમ્બરોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
