
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર થઈ રહેલી આરતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ પ્રથમવાર યમુના આરતી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, દિલ્હીમાં વાસુદેવ ઘાટ પર વર્ષ 2024થી યમુના આરતી નિયમિત કરવામાં આવે છે તેમજ અરવિંદ કેજરીવાલ દ્વારા વર્ષ 2015માં સૌપ્રથમ વાર યમુના આરતી કરવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિલ્હીના લોકો જુઓ તમારા એક વોટની તાકાત.🥰🤞 દિલ્હીમાં ભાજપની સરકાર આવતાની સાથે જ કાશ્મીરી ગેટ સ્થિત યમુના ઘાટ પર મા યમુનાજીની આરતી શરૂ થઈ ગઈ છે. આ વડાપ્રધાન મોદીજીનો સંકલ્પ છે, જેને તેઓ યમુના રિવરફ્રન્ટના રૂપમાં પૂર્ણ કરશે. જય માં યમુનાજી 🚩🙏. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ પ્રથમવાર યમુના આરતી કરવામાં આવી તેનો આ વીડિયો છે.
https://archive.org/details/474eadfc-6aa-8-4463-a-05d-d-17806120420
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એક સત્તાવાર ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 26 માર્ચ, 2024ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીમાં વાસુદેવ ઘાટ પર યમુના આરતી થાય છે.
અમારી વધુ તપાસમાં અમને આજ જગ્યા પરનો વધુ એક વીડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીમાં વાસુદેવ ઘાટ પર દર મંગળવાર અને રવિવારે સાંજ 6.30 કલાકે યમુના આરતી થાય છે.
નીચે તમે વાયરલ વીડિયો અને યુટ્યુબ પર મળેલા વીડિયો વચ્ચેની સમાનતા જોઈ શકો છો.
અહેવાલો અનુસાર, વર્ષ 2024માં પ્રવાસીઓ માટે વાસુદેવ ઘાટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
વધુમાં, અમને 9 નવેમ્બર, 2015ના રોજ ધ ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત એક સમાચાર અહેવાલ મળ્યા. અહેવાલો અનુસાર, તત્કાલિન દિલ્હી સરકારે 13 નવેમ્બર, 2015ના રોજ પ્રથમ યમુના આરતીનું આયોજન કરવાની યોજના બનાવી હતી.

અમારી વધુ તપાસનમાં અમને 13 નવેમ્બર, 2015 ના રોજ આમ આદમી પાર્ટીના સત્તાવાર ફેસબુક પેજ પર એક ફેસબુક પોસ્ટ મળી. પોસ્ટ અનુસાર, દિલ્હીના તત્કાલિન સીએમ અરવિંદ કેજરીવાલે 13 નવેમ્બર, 2015ના રોજ ગીતા ઘાટ પર પ્રથમ યમુના આરતીનું આયોજન અને સંચાલન કર્યું હતું.
Embed –
ઈન્ડિયા ટીવી દ્વારા પણ આજ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, દિલ્હીમાં વાસુદેવ ઘાટ પર વર્ષ 2024થી યમુના આરતી નિયમિત કરવામાં આવે છે તેમજ અરવિંદ કેજરીવાલ દ્વારા વર્ષ 2015માં સૌપ્રથમ વાર યમુના આરતી કરવામાં આવી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો દિલ્હીમાં યમુના ઘાટ પર થઈ રહેલી આરતીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Misleading
