જાણો તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી મળેલા સોનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સોનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીના આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં 128 કિલો સોનુ, 150 કરોડ રોકડા અને 70 કરોડના હીરા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સોનાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં તમિલનાડુના એક જ્વેલરી શોરુમમાં થયેલી ચોરીના બનાવમાં પોલીસ દ્વારા કાર્યવાહીમાં આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા સોનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 4 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તિરૂપતિ મંદિર નાં પૂજારી નાં ઘરે આવેકવેરા વિભાગ ની રેડ પાડવામાં આવતાં 128 કિલો સોનું ,, 150 કરોડ રૂપિયા રોકડા 70 કરોડ નાં હીરા મલ્યા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીના આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં 128 કિલો સોનુ, 150 કરોડ રોકડા અને 70 કરોડના હીરા મળ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને 22 ડિસેમ્બર, 2021ના રોજ ‘જયા ટીવી’ ન્યૂઝ ચેનલના YouTube પર પ્રસારિત થયેલો આજ વાયરલ વીડિયો મળ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તમિલનાડુના વેલ્લોરમાં જોયાલુક્કાસના શોરૂમમાંથી લૂંટાયેલા દાગીના મળી આવ્યા હતા.

unnamed.jpg

આ ઉપરાંત, અમને 20 ડિસેમ્બર, 2021 ના ​​રોજ તમિલનાડુના પત્રકાર મહાલિંગમ પોનુસ્વામીનું એક ટ્વિટ પણ મળ્યું, જેમાં તેમણે આ કાર્યવાહી વિશે માહિતી આપી હતી.

વધુમાં અમને ધ હિન્દુ દ્વારા પ્રકાશિત સમાચાર મળ્યા. ડિસેમ્બર 2021માં પ્રકાશિત થયેલા આ અહેવાલ મુજબ, તમિલનાડુના વેલ્લોરમાં એક જ્વેલરી શોરૂમમાંથી 8 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી, જેમાં 16 કિલો સોનું મળી આવ્યું હતું. તમિલનાડુ પોલીસ ચોર ટોળકીને શોધી કાઢવામાં સફળ રહી હતી અને એક જ વ્યક્તિ પાસેથી 16 કિલો સોનું કબજે કર્યું હતું.

unnamed.png

વાયરલ વીડિયો સંબંધિત અહેવાલો તમિલ સમાચાર વેબસાઇટ્સ દ્વારા તેમની યુટ્યુબ ચેનલો પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. જે તમે અહીં અને અહીં જોઈ શકો છો.

11 ડિસેમ્બર, 2016ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચેન્નાઈના બિઝનેસમેન જે શેખર રેડ્ડીના ઘરેથી 106.52 કરોડ રૂપિયા અને 127 કિલો સોનું મળી આવ્યું હતું. આ પછી રેડ્ડીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટ બોર્ડમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

unnamed (1).jpg

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સોનાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં તમિલનાડુના એક જ્વેલરી શોરુમમાં થયેલી ચોરીના બનાવમાં પોલીસ દ્વારા કાર્યવાહીમાં આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા સોનાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી મળેલા સોનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False