જાણો મોલમાં ભગવાન શ્રીરામ અને સીતાજીની મૂર્તિના ડેકોરેશનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોલમાં ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીના ડેકોરેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ક્રિસમસના દિવસોમાં શણગારવામાં આવેલા મોલનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ દશેરાના દિવસે લખનઉ ખાતે આવેલા રિપબ્લિક મોલમાં કરવામાં આવેલા ડેકોરેશનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 30 ડિસેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ક્રિસમસ ટ્રી થી સણગારવામાં આવતા સોપિંગ મોલો આજે શ્રી રામજી ની ભવ્ય પ્રતિમાં થી શોભી રહ્યાં છે. સાચેજ મારો દેશ બદલી રહ્યો છે. જય શ્રી રામ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ક્રિસમસના દિવસોમાં શણગારવામાં આવેલા મોલનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અમને એક યુટ્યુબ યુઝર દ્વારા 30 ઓક્ટોમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો લખનઉ ખાતે આવેલા ફન રિપબ્લિક મોલનો છે.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો ફન રિપબ્લિક મોલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, દિવાળી અને દશેરાના દિવસે મોલમાં આ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
આ મોલમાં ક્રિસમસનું પણ ડેકોરેશન કરવામાં આવ્યું હતું જે તમે અહીં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ દશેરાના દિવસે લખનઉ ખાતે આવેલા રિપબ્લિક મોલમાં કરવામાં આવેલા ડેકોરેશનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો મોલમાં ભગવાન શ્રીરામ અને સીતાજીની મૂર્તિના ડેકોરેશનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False