
કેટલાક લોકો અન્ય લોકોને લાકડીઓ વડે મારતા હોવાનો હિંસક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ઘરની અંદર ઘૂસી રહ્યા છે અને લોકોને ખેંચીને બહાર લઈ જઈ રહ્યા છે અને પછી હુમલો કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રામ ભક્તો દ્વારા દલિતોના ઘર પર હુમલો કરવામાં આવ્યો અને તેમને મારમારવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રામ ભક્તો દ્વારા દલિતોના ઘર પર હુમલો કરવામાં આવ્યો અને તેમને મારમારવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 27 જાન્યુઆરી 2024ના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરાયેલો સમાન વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ અલવર રાજસ્થાનનો જમીન અને મિલકતને લઈને પરિવારના વિવાદનો વીડિયો છે. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ક્લુના આધારે અમે સંબંધિત કીવર્ડ સાથે શોધ કરતા અમને 18 જાન્યુઆરીના રોજ પત્રિકા ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ તરફ દોરી ગઈ. રિપોર્ટ અનુસાર, આ ઘટના અલવર જિલ્લાના થાનાગાઝી ગામમાં બની હતી. આ એક જ પરિવારના બે પક્ષો વચ્ચે વડીલોપાર્જિત જમીન, મકાન અને અંગત અદાવતને લઈને લડાઈ હતી. આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને પોલીસ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અન્ય અહેવાલ મુજબ, એક પરિવાર વિવાદિત જમીનને લઈને લડતો હતો. રાજસ્થાનના અલવર જિલ્લાના થાનાગાઝી ગામમાં બનેલી આ ઘટનામાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને જયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 7 લોકોની ધરપકડ કરી છે અને અન્ય 7 શકમંદોને શોધી રહી છે.
અમને અલવર પોલીસનું એક ટ્વિટ પણ મળ્યું. આ ટ્વિટમાં પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ એક જૂનો વીડિયો છે અને ઘટનામાં સામેલ બંને પક્ષો પરિવારના સભ્યો અને સંબંધીઓ હતા. આ અંગે બંને પક્ષોએ કેસ નોંધ્યો હતો અને અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ અમે અલવર જિલ્લાના એસપી ઓફિસનો સંપર્ક કર્યો. પોલીસ અધિકારીએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઘરને લઈને અથડામણ થઈ હતી, જે તમામ હિન્દુ છે. આ ઘટનામાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં રામ ભક્તો દ્વારા દલિતો પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. આ મારામારીની ઘટના બે પરિવાર વચ્ચે જ બની હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:એક જ પરિવારના બે ગ્રુપ વચ્ચે થયેલી માથાકુટના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
