કોલ્ડ્રિંક્સમાં ઈબોલા વાયરસ હોવાના હૈદરાબાદ પોલીસના વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા હૈદરાબાદ પોલીસના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદ પોલીસે એવી સૂચના આપી છે કે, આગામી કેટલાક દિવસો કોલ્ડ્રિંક્સ કે ઠંડા પીણા પીશો નહીં કારણ કે, કંપનીના એક કામદારે તેમાં ઈબોલા નામના ખતરનાક વાયરસનું દૂષિત લોહી ભેળવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે હૈદરાબાદ પોલીસના નામે જે મેસેજ મૂકવામાં આવ્યો છે એ માહિતી તદ્દન ખોટી છે. હૈદરાબાદ પોલીસ દ્વારા જ આ મહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bavariya Chandubhai નામના ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદ પોલીસે એવી સૂચના આપી છે કે, આગામી કેટલાક દિવસો કોલ્ડ્રિંક્સ કે ઠંડા પીણા પીશો નહીં કારણ કે, કંપનીના એક કામદારે તેમાં ઈબોલા નામના ખતરનાક વાયરસનું દૂષિત લોહી ભેળવ્યું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને હૈદરાબાદ સિટી પોલીસ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી સાથેની ટ્વિટ 13 જુલાઈ, 2019 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર કોલ્ડ્રિંક્સ કે ઠંડા પીણાને લગતો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે. હૈદરાબાદ પોલીસ દ્વારા આવી કોઈ જ માહિતી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી નથી. 

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને નવભારત ટાઈમ્સ દ્વારા 23 ઓક્ટોમ્બર, 2019 ના રોજ ઈબોલા વાયરસ સંબંધિત પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈબોલા વાયરસ સંક્રમિત જાનવરોને કાપવાથી કે ખાવાથી લોકોમાં ફેલાય છે. જે વિશેષજ્ઞોએ આ વાયરસ સંબંધિત માહિતી એકત્ર કરવા માટે સંક્રમિત જાનવરોને કાપીને રિસર્ચ કર્યું હતું તે પણ તેના ભોગ બન્યા હતા. ઈબોલા વાયરસ ખાવાની કે પીવાની કોઈ વસ્તુ દ્વારા ફેલાય એ માહિતી ખોટી છે.

ઈબોલા વાયરસ શું છે? 

ઇબોલા વાયરસ રોગ સૌપ્રથમ 1976 માં દક્ષિણ સુદાન અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક સાથે બે પ્રકારે ફાટી નીકળ્યો હતો. પછીનો પ્રકોપ કે જે ઇબોલા નદીની નજીકના ગામમાં થયો, તેણે આ રોગને તેનું નામ આપ્યું. જો કે, 2014-2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા વાયરસ ફાટી નીકળવો એ 1976 પછીનો સૌથી મોટો પ્રકોપ હતો. આ વાયરસ જંગલી પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે. માનવ વસ્તીમાં વાયરસ માનવ સંક્રમણ દ્વારા ફેલાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે હાદરાબાદ પોલીસના નામે જે મેસેજ મૂકવામાં આવ્યો છે એ માહિતી તદ્દન ખોટી છે. હૈદરાબાદ પોલીસ દ્વારા જ આ મહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:કોલ્ડ્રિંક્સમાં ઈબોલા વાયરસ હોવાના હૈદરાબાદ પોલીસના વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False