Fake Check: પીએમ નરેન્દ્ર મોદીના ભાભીનું હાલમાં નિધન નથી થયુ. જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું પાંચ વર્ષ પહેલા 1 મે, 2019 ના રોજ નિધન થયું હતું હાલમાં નહીં.

સોશિયલ મીડિયામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાઈના પત્નીને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રહલાદ મોદીના પત્નીને લઈ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું તાજેતરમાં જ બીમારીના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું તાજેતરમાં બીમારીના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે.

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું તાજેતરમાં જ બીમારીના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Zee 24 Kalak દ્વારા 1 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાભી ભગવતીબેન મોદીનું 55 વર્ષની વયે નિધન થયું.  જે  સમાચાર તમે નીચે જોઈ શકો છો. 

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.abplive.com | sandesh.com | mantavyanews.com  

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું પાંચ વર્ષ પહેલા 1 મે, 2019 ના રોજ નિધન થયું હતું હાલમાં નહીં. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું પાંચ વર્ષ પહેલા 1 મે, 2019 ના રોજ નિધન થયું હતું હાલમાં નહીં.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: પીએમ નરેન્દ્ર મોદીના ભાભીનું હાલમાં નિધન નથી થયુ. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context