
તાજેતરમાં સોશિયલ મીડિયા પર AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે ફક્ત મ્યુઝિયમમાં રહશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં આપવામાં આવેલા નિવેદનનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી 2024 સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે ફક્ત મ્યુઝિયમમાં રહશે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Bharat Ki Taraqqi News BT NEWS ચેનલના સત્તાવાર યુટ્યુબ દ્વારા 28 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઓવેસીએ એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે મ્યુઝિયમમાં રહેશે અને ફોટો જઈને ખુશ રહેશે.
ઉપરોક્ત આજ વીડિયો સારથી સમાજ ખબર નામના યુટ્યુબ પર પણ 29 માર્ચ, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં આપવામાં આવેલા નિવેદનનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી 2024 સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પરના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
