નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરુ કરવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ વારાણસી ખાતે એક કાર્યક્રમમાં મળ્યા હતા એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા 25 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બેશરમ ત્રિપુટી જમાત લાગી ગઈ ચૂંટણી ની તૈયારી માં….. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુંબઈની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા તેનો છે.

screenshot-www.facebook.com-2021.05.31-18_42_13.png

Facebook Post | Archive

સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હોવાથી એની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી હતી. 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને deccanherald.com નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 28 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વારાણસી ખાતે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ પાર્ટીના એક કાર્યક્રમમાં મળ્યા હતા એ સમયનો આ ફોટો છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

screenshot-www.deccanherald.com-2021.06.01-00_19_48.png

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના અન્ય સામાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. thequint.com

વારાણસી ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમનો વધુ એક ફોટો newindianexpress.com દ્વારા 28 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.newindianexpress.com-2021.06.01-00_33_56.png

Archive 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ વારાણસી ખાતે એક કાર્યક્રમમાં મળ્યા હતા એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથનો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context