શું ખરેખર બેંક દ્વારા તમામ સર્વિસ પર હવે ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બેંક વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ છે કે, બેંક દ્વારા તેમની તમામ સર્વિસ પર ચાર્જ વસૂલવામાં આવશે, આ પોસ્ટ સાથે મુખ્ય દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની તમામ સેવાઓ પર ચાર્જ વસૂલવામાં આવશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બેંક દ્વારા કોઈ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો નથી. આ મેસેજ વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jignesh Savaj Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની તમામ સેવાઓ પર ચાર્જ વસૂલવામાં આવશે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ન્યુઝ પેપરના કટિંગની હેડલાઈન વડે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ ન્યુઝ પેપરનું કટિંગ એક ફેસબુક યુઝર દ્વારા જાન્યુઆરી 2018માં શેર કરવામાં આવેલુ જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/ileshkhandla9192/posts/1715914548445535?__tn__=%2CO*F

FACEBOOK | FB POST ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ વાત તો સાબિત થઈ ગઈ હતી કે આ સમાચાર હાલના નથી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન અમને નવભારત ટાઈમ્સનો 10 જાન્યુઆરી 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ કે, બેંક ચાર્જીસને લઈ આ પ્રકારે કોઈ પ્રસ્તાવ ભારતીય બેંક સંઘ દ્વારા કરવામાં નથી આવ્યો. આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

નવભારત ટાઈમ્સ | સંગ્રહ

તેમજ ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના ડીએફએસ રાજીવ કુમાર દ્વારા 10 જાન્યુઆરી ભારતીય બેંકના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ ટવીટ કરી હતી. જેમાં આ પ્રકારે કોઈ ચાર્જ વધારવા આવ્યા હોવાની દરખાસ્તને નકારી કાઢી હતી. જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બેંક દ્વારા કોઈ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો નથી. આ મેસેજ વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. 

Avatar

Title:શું ખરેખર બેંક દ્વારા તમામ સર્વિસ પર હવે ચાર્જ વસુલવામાં આવશે…?

Fact Check By: Yogesh Karia 

Result: False