પ્રીતિ ઝિંટાએ ટ્વિટ કરીને આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે મેં ક્યારેય આવું નિવેદન આપ્યું નથી. મારા નામે ખોટુ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

કિંગ્સ ઈલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિંટાના નામે એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રીતિ ઝિંટાએ રોહિત શર્મા વિશે કહ્યું છે કે જો તે મેગા ઓક્શનમાં આવશે તો તે તેને ટીમમાં સામેલ કરવા માટે પોતાનો જીવ પણ આપી દેશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રિતી ઝિંટાએ જણાવ્યુ છે કે, મેગા ઓક્શનમાં રોહિત શર્મા આવશે તો તે તેને ટીમમાં સામેલ કરવા માટે પોતાનો જીવ પણ આપી દેશે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની દ્વારા 19 એપ્રિલના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રોહિત શર્માને ખરીદવા અંગે પ્રીતિ ઝિંટાના નામે વાયરલ થયેલું નિવેદન નકલી છે. પ્રીતિ ઝિંટાએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.”

Times of India | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને પ્રિતી ઝિંટા દ્વારા કરવામાં આવેલુ એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ફેક ન્યુઝ! આ તમામ અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. હું રોહિત શર્માનું ખૂબ સન્માન કરૂ છું અને તેમની મોટી પ્રશંસક પણ છું. પરંતુ મેં ક્યારેય કોઈ ઈન્ટરવ્યુમાં તેની ચર્ચા કરી નથી કે આ નિવેદન આપ્યું નથી. મને પણ શિખર ધવન માટે ઘણું સન્માન છે અને તે અત્યારે ઈજાગ્રસ્ત છે અને આવા સમયે આવા અહેવાલો આવવું તે ખૂબ જ શરમજનક છે. આ અહેવાલો એક ઉદાહરણ છે કે કેવી રીતે સોશિયલ મીડિયામાંથી ખોટી માહિતી ઉઠાવવામાં આવે છે અને કોઈપણ ચકાસણી વિના પ્રકાશિત કરવામાં આવે છે. હું તમામ મીડિયાને નમ્ર વિનંતી કરું છું કે આવા સમાચાર પ્રસારિત ન કરે. અત્યારે અમારી પાસે એક શાનદાર ટીમ છે અને અમારૂ તમામ ધ્યાન રમત જીતવા પર છે.”

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રીતિ ઝિંટાના દ્વારા રોહિત શર્માને ખરીદવાનો દાવો ખોટો છે. પ્રીતિ ઝિંટાએ ટ્વિટ કરીને આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે મેં આવું નિવેદન ક્યારેય આપ્યું નથી. મારા નામે ખોટું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પ્રિતી ઝિંટા દ્વારા રોહિત શર્માને લઈ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False