સ્મશાન પરનો GST વધારીને 18% કરવાનો વાયરલ દાવો ભ્રામક છે. GST સ્મશાન, દફન અને અંતિમ સંસ્કાર માટે લાગુ પડતું નથી. 18% GST માત્ર બાંધકામ, ઉત્થાન, કમિશનિંગ અને ઇન્સ્ટોલેશન, પૂર્ણ, ફિટિંગ, સમારકામ, જાળવણી, નવીનીકરણ અથવા મૃતકના અંતિમ સંસ્કાર, દફન અથવા અગ્નિસંસ્કાર માટેના માળખામાં ફેરફાર જેવા વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે.

સરકાર દ્વારા ખાદ્ય સામગ્રી પર GST લગાડવામાં આવ્યા બાદ વિરોધ પક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં એખ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા અંતિમવિધી પર પણ 18% GST લાગુ કરવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા અંતિમવિધી પર પણ 18% GST લાગુ કરવામાં આવ્યો છે..”

Facebook | Fb post Archive

ફેસબુક પર ખૂબ જ વધુ યુઝર દ્વારા આ માહિતી સત્ય માંનીને શેર કરવામાં આવી રહી હતી.

FACT CHECK

સોપ્રથમ અમે GSTની વેબસાઇટ તપાસી અને સ્મશાનગૃહ અને તેને લગતી સેવાઓ પર GST અંગે શોધ્યું. જો કે, અમને સૂચિમાં તેનાથી સંબંધિત કંઈપણ મળી શક્યું ન હતુ. અમે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017ની પણ તપાસ કરી. અમને જાણવા મળ્યું કે 'મૃતકના પરિવહન સહિત અંતિમ સંસ્કાર, દફનવિધિ, સ્મશાનગૃહ અથવા શબગૃહની સેવાઓને’ પ્રવૃત્તિઓ અથવા વ્યવહારો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેને ન તો માલના પુરવઠા તરીકે ગણવામાં આવે છે કે ન તો સેવાઓનો પુરવઠો'. મતલબ કે આ વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.

The Central Goods and Services Tax Act, 2017

આમ, સ્મશાનગૃહ અને તેને લગતી સેવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, મૃતકના અંતિમ સંસ્કાર, દફન કે અગ્નિસંસ્કાર માટેના બાંધકામ, ઉત્થાન, કમિશનિંગ અને ઇન્સ્ટોલેશન, પૂર્ણ, ફિટિંગ, સમારકામ, જાળવણી, નવીનીકરણ અથવા માળખામાં ફેરફાર દ્વારા પૂરી પાડવામાં આવતી વર્ક કોન્ટ્રાક્ટ સેવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવતી નથી. આ વર્ક કોન્ટ્રાક્ટ સેવાઓ હેઠળ આવે છે. CGST અધિનિયમ, 2017ની કલમ 2(119) માં વર્ક્સ કોન્ટ્રાક્ટની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે:

"વર્કસ કોન્ટ્રાક્ટ"નો અર્થ થાય છે મકાન, બાંધકામ, ફેબ્રિકેશન, પૂર્ણતા, ઉત્થાન, સ્થાપન, ફિટિંગ, સુધારણા, ફેરફાર, સમારકામ, જાળવણી, નવીનીકરણ, ફેરફાર અથવા કોઈપણ સ્થાવર મિલકતના કમિશનિંગ માટેનો કરાર જેમાં માલસામાનમાં મિલકતનું ટ્રાન્સફર થાય છે (પછી ભલે તે માલ તરીકે હોય. અથવા કોઈ અન્ય સ્વરૂપમાં) આવા કરારના અમલમાં સામેલ છે.”

શરૂઆતમાં, અંતિમ સંસ્કાર અને સ્મશાનગૃહના બાંધકામ પર 12% GST વસૂલવામાં આવતો હતો.

Work Contracts in GST

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા PIB ફેક્ટ ચેકે પણ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે:

આ દાવો ભ્રામક છે.

અંતિમ સંસ્કાર, દફન, સ્મશાન અથવા શબઘર સેવાઓ પર કોઈ GST નથી.

આ સંદર્ભમાં, GST @ 18% માત્ર વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે અને સેવાઓ માટે નહીં.

આમ, તે સ્પષ્ટ છે કે સ્મશાન અથવા તેની સંબંધિત સેવાઓ પર કોઈ GST નથી. જોકે, સ્મશાનગૃહ અથવા શબઘર સેવાઓ સંબંધિત કામના કરાર પર 18% GST છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, સ્મશાન પરનો GST વધારીને 18% કરવાનો વાયરલ દાવો ભ્રામક છે. GST સ્મશાન, દફન અને અંતિમ સંસ્કાર માટે લાગુ પડતું નથી. 18% GST માત્ર બાંધકામ, ઉત્થાન, કમિશનિંગ અને ઇન્સ્ટોલેશન, પૂર્ણ, ફિટિંગ, સમારકામ, જાળવણી, નવીનીકરણ અથવા મૃતકના અંતિમ સંસ્કાર, દફન અથવા અગ્નિસંસ્કાર માટેના માળખામાં ફેરફાર જેવા વર્ક કોન્ટ્રાક્ટ માટે લાગુ પડે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સરકાર દ્વારા અંતિમવિધિ પર કોઈ GST લગાવવામાં આવ્યો નથી..જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False