વડોદરામાં રહેતી હિંગુએ પોતે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેને જીવત છે અને તેમને સારૂ છે.

બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરી ચૂકેલા અને ખ્યાતનામ એક્ટર અને દિનેશ હિંગુના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જૂદા-જૂદા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દિનેશ હિંગુની તસવીર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોલિવુડના કોમેડિયન દિનેશ હિંગુનું નિધન થઈ ગયું છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બોલિવુડના કોમેડિયન દિનેશ હિંગુનું નિધન થઈ ગયું છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ગુજરાતી મીડ ડેની વેબસાઈટ પર 3 માર્ચના રોજ પ્રકાશિત એક સમાચાર મળ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલથી કોમેડિયન દિનેશ હિંગુના નિધનની અફવાઓ સર્વત્ર ફેલાઈ રહી છે, ત્યારે વડોદરામાં રહેતા હિંગુએ પોતે આગળ આવીને પોતાનો વીડિયો જાહેર કરીને આ અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને Our Vadodara નામના ફેસબુક પેજ પર દિનેશ હિંગુનો સંપૂર્ણ વીડિયો અમને પ્રાપ્ત થયો હતો. જેમા તેઓ જણાવે છે કે, મારી તબીયત એકદમ સરસ છે અને હું જીવત છુ. મારા મૃત્યુની વાત એક અફવા છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે દિનેશ હિંગુનો સંપર્ક સાધવા પ્રય્તન કર્યો હતો, વડોદરાના પત્રકાર રોનક દ્વારા દિનેશ હિંગુ જોડે વાત કરી અને સ્પષ્ટતા કરી હતી કે, દિનેશ હિંગુની મોતની વાત તદ્દન અફવા છે. દિનેશ હિંગુ હયાત છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બોલિવુડના કોમેડિયન દિનેશ હિંગુ હયાત છે, તેમના મોતની વાત તદ્દન ખોટી છે આ એક માત્ર અફવા જ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કોમેડિયન દિનેશ હિંગુનું નિધન થયુ હોવાની વાત તદ્દન અફવા છે… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
