આ વીડિયો કાવેરી મહાપુષ્કરમ પર્વ નિમિત્તે કાવેરી નદી પર બાંધવામાં આવેલા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો છે. વર્ષ 2017માં માયલાદુથુરાઈ સુધી પહોંચતા આ પાણીનો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં એક સુકી નદીમાં પાણી આવતુ જોઈ શકાય છે. આ પાણીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવે છે. અને લોકો દ્વારા તેના વધામણા કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દક્ષિણ ભારતમાં વહેતી એક ચમત્કારિક નદી છે, જે પિતૃ પક્ષ દરમિયાન અમાસના દિવસે જ દેખાય છે અને પછી દિવાળીના દિવસે ગાયબ થઈ જાય છે. આ નદી માત્ર એક મહિના માટે અસ્તિત્વમાં આવે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દક્ષિણ ભારતમાં વહેતી એક ચમત્કારિક નદી છે, જે પિતૃ પક્ષ દરમિયાન અમાસના દિવસે જ દેખાય છે અને પછી દિવાળીના દિવસે ગાયબ થઈ જાય છે. આ નદી માત્ર એક મહિના માટે અસ્તિત્વમાં આવે છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો સેલવા કુમાર નામની યુટ્યુબ ચેનલ પર 19 સપ્ટેમ્બર 2017ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ કાવેરી નદીમાંથી છોડવામાં આવતું પાણી છે, જે તમિલનાડુમાં પ્રવેશી રહી છે.

આ જ ક્લુના આધારે સર્ચ કરતા અમને આ જ વીડિયો અન્ય યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કાવેરી નદીનું પાણી તમિલનાડુના માયાવરમ જિલ્લામાં પહોંચ્યું છે. નદી વર્ષમાં પ્રથમ વખત વહેતી હોવાથી શ્રદ્ધાળુ ગ્રામજનો તેને નમસ્કાર કરે છે.

તેમજ વધુ કિવર્ડ સાથે સર્ચ કરતા અમને 10 સપ્ટેમ્બર 2017ના રોજ deccanchronicle.com વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો, જે અહેવાલ મુજબ, “કાવેરી પુષ્કરમ 2017ના આયોજકોને કાવેરી નદીના પાણીથી ભરેલા કલાનાઈ ડેમમાંથી પાણી છોડવાની અપેક્ષા છે. તેમણે તીર્થયાત્રીઓ માટે માયલાદુથુરાઈમાં થુલા કટ્ટમ ખાતે અસ્થાયી સ્નાન ઘાટ બનાવ્યો છે જેથી શ્રદ્ધાળુઓ પાણી લઈ શકે અને તેમના માથા પર છંટકાવ કરી શકે. આયોજકો 12-24 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર કાર્યક્રમમાં પાંચ લાખ ભક્તોની હાજરીની અપેક્ષા રાખે છે.

deccanchronicle.com | Archive

ધ હિન્દુના 19 સપ્ટેમ્બર 2017ના અહેવાલ અનુસાર મહાપુષ્કરમ માટે મેત્તુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ ભક્તો અને ખેડૂતોએ ફૂલોથી આરતી કરી હતી. તેમજ વધુ જણાવવામાં આવ્યુ હતુ કે, “મેત્તુર ડેમમાંથી મહાપુષ્કરમ માટે પાણી છોડવામાં આવ્યું હતું. "તે નદીના કિનારે ઘણા વિસ્તારોમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે અને મંગળવારે પાણી માયલાદુથુરાઈ પહોંચવાની અપેક્ષા છે, જ્યાં કાવેરી થુલા કટ્ટમ ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે."

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો કાવેરી મહાપુષ્કરમ પર્વ નિમિત્તે કાવેરી નદી પર બાંધવામાં આવેલા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો છે. વર્ષ 2017માં માયલાદુથુરાઈ સુધી પહોંચતા આ પાણીનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર આ દક્ષિણ ભારતની પિતૃપક્ષમાં પ્રગટ થનાર નદી છે.? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False