વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ વિજય પ્રસાદ છે, જે IAS અધિકારી નહીં પરંતુ ટ્રાઇકોન્ટિનેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચના ડારેક્ટર છે.

યુકેના ગ્લાસગોમાં ક્લાઈમેટ મુવમેન્ટને કોલોનાઈઝેશન કરવાની અને પશ્ચિમની આબોહવા પરિવર્તનમાં ફાળો આપવા બદલ તેની ટીકા કરતા એક માણસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યા છે તે IAS અધિકારી વિજય સિંહ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Diu Parivar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યા છે તે IAS અધિકારી વિજય સિંહ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપસાવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોરક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 10 નવેમ્બર 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં જે વ્યક્તિ સ્પીચ આપી રહ્યા છે તે ટ્રાઇકોન્ટિનેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચના ડિરેક્ટર વિજય પ્રસાદ છે જેમણે આબોહવા ચળવળને નિષ્ક્રિય કરવા પર વક્તવ્ય આપ્યુ હતુ.
તેમજ વધુ સર્ચ કરતા અમને ક્લાઈમેટ જસ્ટિસ યુકેની ઓફિશિયલ વેબસાઇટ અને ફેસબુક પેજ પર પણ આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 9 નવેમ્બર 2021ના યોજાઈ હતી.
વિજય પ્રસાદે 9 નવેમ્બર, 2021 ના રોજ ગ્લાસગો, યુકેમાં COP26 ગઠબંધનની સમિટ ફોર ક્લાઇમેટ જસ્ટિસ ઇવેન્ટ ‘અવર ટાઇમ ઇઝ નાઉ’માં વાત કરી હતી. અમને આ વિડિયો ક્લાઈમેટ જસ્ટિસ યુકેની ઓફિશિયલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર પણ ઉપલબ્ધ છે. વાયરલ વીડિયો ઓરિજનલ વીડિયોમાં 26:44થી શરૂ થાય છે.
તેમજ વિજય પ્રસાદ દ્વારા પણ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ વિજય પ્રસાદ છે, જે IAS અધિકારી નહીં પરંતુ ટ્રાઇકોન્ટિનેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચના ડારેક્ટર છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ગ્લાસગોમાં ક્લાઈમેટ મૂવમેન્ટ વિશે બોલતા આ IAS ઓફિસર વિજય સિંહ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
