પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેને નહીં પરંતુ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં એક ફોટોમાં તેઓ મહાત્મા ગાંધીને નમન કરતા જોઈ શકાય છે. જ્યારે બીજા ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથુરામ ગોડસેની મુર્તિને નમન કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેની મુર્તિને નમન કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ibtimes.co.in દ્વારા 6 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ભાજપના સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અન્ય નેતાઓ સાથે પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને News24 દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના સ્થાપના દિવસે પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના દ્રશ્યને સ્પષ્ટ જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે India Today દ્વારા 6 એપ્રિલ, 2017 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પંડિત દિનદયાળને શ્રદ્ધાંજલિ આપતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેને નહીં પરંતુ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેની મુર્તિને નમન કરી રહ્યા છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False