
Kiran Bhingradiya નામના ફેસબુક યુઝર દ્વારા 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રિય બધા મહત્વપૂર્ણ, 4 કિડની ઉપલબ્ધ છે. ગઈકાલે અકસ્માત સાથે મળેલા શ્રી સુધિર અને તેની પત્ની (તેમના મિત્રની સેવા કોલેજ) ની મૃત્યુને કારણે ડ Docક્ટરે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. શ્રીસુધિર (બી +) અને તેમના પત્ની (ઓ +) છે. તેમનો પરિવાર માનવતા માટે તેમની કિડની દાન કરવા માંગે છે .પ્લેઝ સરક્યુલેટ. 9837285283 પર સંપર્ક કરવો 9581544124 છે 8977775312 બીજા જૂથને આગળ ફોરવર્ડ કરો, તે કોઈની મદદ કરી શકે…” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 1 વ્યક્તિએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક પતિ-પત્નીનું મૃત્યુ થતા ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે અને તેમની ચાર કિડની દાનમાં આપવાની છે.

ઉપરોક્ત પોસ્ટ સોશિયલ મિડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હતી ગુજરાતી સિવાય અંગ્રેજી ભાષામાં પણ આ મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા નંબર પર ફોન કર્યો હતો. પોસ્ટમાં શેર કરવામાં આવેલા ત્રણ પૈકીના બે નંબર બંધ આવી રહ્યા હતા. જ્યારે ત્રીજા નંબર પર ફોન લાગતો હતો. પરંતુ તેમાં કોઈ જવાબ મળ્યો ન હતો. પરંતુ સામા પક્ષેથી મેસેજ આવ્યો હતો કે, “The post related to kidney availability is totally wrong and is circulated by some mischievous person. pls ignore it.” જે તમે નીચે વાંચી શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ સાબિત થયુ હતુ કે, પોસ્ટમાં કરવામાં આવેલા મુજબ કોઈ કિડના હાલમાં ઉપલબ્ધ નથી. ત્યાર બાદ અમારી પડતાલને અમે આગળ વધારી હતી, તો અમને જાણવા મળ્યુ હતુ કે, જે નંબર પરથી મેસેજ આવ્યો તે મેરઠના ડોક્ટર સંદિપ ગર્ગનો નંબર છે. smhoaxslaver નામની ફેક્ટ ચેકિંગ વેબ સાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ડો.સંદિપ ગર્ગએ જણાવ્યુ હતુ કે, “તેઓ વર્ષ 2017થી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ પહેલા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. બાદમાં સાઈબર સેલમાં પણ ફરિયાદ નોધાવી છે. તેઓ આ નંબરને છોડવા નથી માંગતા કારણ કે, તેઓ છેલ્લા 13 વર્ષથી આ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના વધુમાં વધુ દર્દીઓ પાસે પણ આ જ નંબર છે. ડો.ગર્ગનું માનવુ છે કે આ કોઈ અસામાજીક તત્વ દ્વારા કારસ્તાન આચરવામાં આવ્યુ છે. જે તેમને પરેશાન કરવાના ઉદેશથી ફેલાવી રહ્યા છે.”

ધ લલનટોપ નામની વેબસાઈટ દ્વારા પણ આ મેસેજ અંગેની પડતાલ કરવામાં આવી હતી. જે તમ નીચેની લિંક પર ક્લિંક કરી જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બની. આ પોસ્ટ લોકોને ભ્રામક કરવા માટે જ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બની. આ પોસ્ટ લોકોને ભ્રામક કરવા માટે જ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.

Title:શું ખરેખર કોઈ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે અને 4 કિડની ઉપલબ્ધ છે….?જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
