જાણો પ્રેમાનંદ મહારાજનો વીડિયો જોઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નોતાઓ પ્રેમાનંદ મહારાજનું પ્રવચન જોઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રેમાનંદ મહારાજનું પ્રવચન સાંભળી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક વીડિયોમાં વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓ ઓરિસ્સા ખાતે થયેલી ટ્રેન દુર્ઘટનાની પરિસ્થિતિ વિશેનો વીડિયો જોઈ રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 14 ડિસેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જેને સાંભળવા દેશના વડાપ્રધાન અને આખી કેબિનેટ ને પણ સમય કાઢી સાંભળવા પડે એવા ગુરૂ પ્રેમાનંદ મહારાજ ની વાણી નો આપ પણ લાભ લો... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નોતાઓ પ્રેમાનંદ મહારાજનું પ્રવચન જોઈ રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 3 જૂન, 2023 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો જોવા મળ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઓરિસ્સા ખાતે થયેલી ટ્રેન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ બેઠક મળી હતી. જેમાં સમગ્ર પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી તેનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય કેટલીક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. PMO India | The Print
વધુમાં નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયોમાંથી લીધેલા સ્ક્રીનશોટ વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રેમાનંદ મહારાજનું પ્રવચન સાંભળી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક વીડિયોમાં વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓ ઓરિસ્સા ખાતે થયેલી ટ્રેન દુર્ઘટનાની પરિસ્થિતિ વિશેનો વીડિયો જોઈ રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો પ્રેમાનંદ મહારાજનો વીડિયો જોઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: Altered