શું ખરેખર સરકારે 269,556 અખબારોના શીર્ષક રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP એ જાહેરાત સૂચીમાંથી બહાર કાઢ્યા…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકારે 269,556 અખબારોના ટાઈટલ રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP દ્વારા જાહેરાત સૂચીમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા જ ખોટી ઠેરવવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jan Man India નામના ફેસબુક પેજ દ્વારા 20 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારે 269,556 અખબારોના ટાઈટલ રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP દ્વારા જાહેરાત સૂચીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે.

screenshot-www.facebook.com-2020.11.24-20_58_05.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. 

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ http://www.davp.nic.in/ પર ઉપરોક્ત માહિતી શોધવાની કોશિશ કરી હતી. તો ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

વધુ સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા 20 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો અને સોશિયલ મીડિયા પર જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીનું સરકાર દ્વારા જ ખંડન કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા પર વાયરલ માહિતીને ખોટી ગણાવવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર સરકારે 269,556 અખબારોના શીર્ષક રદ્દ કર્યા અને 804 સમાચાર પત્રોને DAVP એ જાહેરાત સૂચીમાંથી બહાર કાઢ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False