
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બસનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ તેમાં સૌનિકો ઘાયલ થયા હોવાનું પણ દેખાઈ રહ્યુ છે. ત્યારે આ ફોટો સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, “મેઘાલયમાં 31 ઓક્ટોબર 2020ના ભારતિય સૈનિકોની બસને અકસ્માત નડ્યો હતો અને તેમાં સવાર 12 જવાનોના મૃત્યુ થયા હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ અકસ્માત હાલમાં નહિં પરંતુ વર્ષ 2019માં સર્જાયો હતો. જેમાં 20 જવાનો ઘાયલ થયા હતા. અને એક સિવિલિયનનું મૃત્યુ થયુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Avinash Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મેઘાલયમાં 31 ઓક્ટોબર 2020ના ભારતિય સૈનિકોની બસને અકસ્માત નડ્યો હતો અને તેમાં સવાર 12 જવાનોના મૃત્યુ થયા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને thenortheasttoday નો 30 ઓક્ટોબર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “એક સિવિલિયનનું મૃત્યુ થયુ હતુ જ્યારે 20 જવાનો ઘાયલ થયા હતા.” આ અહેવાલ સાથે પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ નેશન ભારતવર્ષ નામની યુટ્યુબ ચેનલ દ્વારા નવેમ્બર 2019માં આ અંગેનો એક વિડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ પ્રતિદિન ટાઈમ્સ દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મેઘાલયમાં આ પ્રકારે હાલમાં કોઈ ઘટના બનવા પામી નથી. ગત વર્ષ 2019માં આ ઘટના બનવા પામી હતી. પરંતુ તેમાં કોઈ જવાનનું મૃત્યુ ન હતુ થયુ એક સિલિલિયન વ્યક્તિનું મોત થયુ હતુ.

Title:શું ખરેખર મેઘાલયના પહાડો પર સેનાની બસ ખાબકી જેમાં 12 જવાનોના મૃત્યુ થયા હતા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
