ભરતસિંહ સોલંકીનું આ અધુરૂ નિવેદન છે. તેમણે કહ્યુ હતુ કે, 1960 થી 1990 દરમિયાન કોંગ્રેસના શાસન દરમિયાન કોંગ્રેસનો વિકાસ થયો હતો.

ગુજરાત વિધાનસભાની પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પત્રકારને જણાવી રહ્યા છે. કે, ગુજરાતનો વિકાસ થયો છે. આ વિડીયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા સ્વિકારવામાં આવ્યુ કે ભાજપાના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Amit Kanani AK નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 November 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા સ્વિકારવામાં આવ્યુ કે ભાજપાના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વિડિયો ને ધ્યાનથી જોયો તો અમને વિડિયોમાં “આઈ એમ ગુજરાત” નામની ચેનલનો લોગો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

જે ક્લુના આધારે અમે યુટ્યુબ પર આઈ એમ ગુજરાત નામની યુટ્યુબ ચેનલ પર ભરતસિંહ સોલંકીના સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત કર્યો હતો.
જેમા તમને રિપોર્ટરની અને ભરતસિંહ સોલંકીની વાત શબ્દ:સહ જણાવી જે તમે નીચે વાંચી શકો છો.
ભરતસિંહ સોલંકી : આ ગુજરાત છે આ ડિફરન્ટ સ્ટેટ છે. પ્રોગ્રેસીવ સ્ટેટ છે. એણે બોવ વિકાસ કર્યો છે. જીડીપીમાં નંબર 1 રહ્યુ છે. એનો પર કેપિટલ ઇન્કમમાં નંબર 1 રહ્યુ છે.
રિપોર્ટર : તો તમે માનો છો કે ગુજરાતમાં વિકાસ થયો છે.
ભરતસિંહ સોલંકી : એ કોંગ્રેસના શાસનમાં 23 થી 30 ટકા સુધી પહોચ્યુ હતુ. આ 7 – 8 ટકાએ અટકી ગયો છે. એટલે 1960 થી 90 સુધીનું ગુજરાત એના પછી આ વિકાસ અટકયો રૂધાંયો, અને જે પણ વિકાસ થયો જે પણ જીડીપી તે મુઠ્ઠી ભર લોકોનો થયો અને સામાજીક સામુહિક લોકોનો થયો નહિં. કોંગ્રેસ ફરીથી 2022 8 ડિસેમ્બર પછી એ વિકાસને ઉંચાઈ તરફ લઈ જશે.
આ સંપૂર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ વાયરલ વિડિયો અને ઓરિજનલ વિડિયો વચ્ચેનો તફાવત પણ તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, ભરતસિંહ સોલંકી દ્વારા એમ નથી કહેવામાં આવ્યુ કે, ભાજપના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે. પરંતુ તેમણે કહ્યુ કે, કોંગ્રેસના 1960 થી 1990 દરમિયાન વિકાસ થયો હોવાનું જણાવ્યુ હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ભરતસિંહ સોલંકી દ્વારા નથી કહેવામાં આવ્યુ કે ભાજપાના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
