IPL મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા નથી લાગ્યા. જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વિડિયો 2019નો જયપુર સ્ટેડિયમ નો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હોવાની વાત તદ્દન ખોટી છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ક્રિકેટ સ્ટેડિયમમાં બેસેલા લોકોને ચોકિદાર ચોર હૈ કહેતા સાંભળી શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઈપીએલ મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈના નારા લાગ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આઈપીએલ મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈના નારા લાગ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂર જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ વીડિયો એપ્રિલ 2019માં ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. જે વીડિયો તમે નીચે જોઈ શકો છો. 

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી

તેમજ વધુ સર્ચ કરતા અમને 27 માર્ચ 2019ના રોજ BBC દ્વારા પ્રસારિત એક સમાચાર અહેવાલ પણ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, “વિડિયો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL મેચ દરમિયાનનો છે જ્યાં દર્શકોએ ‘ચોકીદાર ચોર હૈ’ ના નારા લગાવ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દર્શકોએ “મોદી મોદી” ના નારા લગાવ્યા તેના જવાબમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

BBC | ARCHIVE

અમને Hotstar પર અપલોડ કરાયેલ IPL મેચનું 5-કલાકનું રેકોર્ડિંગ મળ્યું, અમે પૃષ્ઠભૂમિમાં 2:30:00 ના ટાઈમસ્ટેમ્પ પર ચોકીદાર ચોર હૈ ના નારા સાંભળી શકીએ છીએ. તમે આખી મેચ અહીં જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં વર્ષ 2019નો છે. તેમજ આ વીડિયો જયપુરના ક્રિકેટ ગ્રાઉન્ડનો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો હોવાની વાત તદ્દન ખોટી સાબિત છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:IPL મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા નથી લાગ્યા. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context