જાણો અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં અરવિંદ કેજરીવાલ જ્યારે મહેસાણા ખાતે આયોજિત તિરંગા યાત્રામાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા તે સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 21 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આપીયાઓના શેઠ ની ED એ કરી ધરપકડ. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને 6 જૂન, 2022 ના રોજ prokerala.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2022 માં અરવિંદ કેજરીવાલ જ્યારે મહેસાણા ખાતે આયોજિત તિરંગા યાત્રામાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા તે સમયનો છે.

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. socialnews.xyz

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી અને ફોટો સાથેના સમાચાર ઝી 24 કલાક દ્વારા9 સપ્ટેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં અરવિંદ કેજરીવાલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં તેમનું પેન્ટ ભીનું થયું હોય એવું દર્શાવ્યું છે. પરંતુ ઓરિજીનલ ફોટોમાં અમને ક્યાંય પણ એવું જોવા મળ્યું ન હતું. જેનો મતલબ એ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. નીચે તમે એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં અરવિંદ કેજરીવાલ જ્યારે મહેસાણા ખાતે આયોજિત તિરંગા યાત્રામાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા તે સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context