જાણો ‘પાકિસ્તાન કી જય’ બોલી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની જય બોલાવી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો અને એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ લોકોની પરીક્ષા લેવા માટે પાકિસ્તાનની જય બોલાવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એં લખવામાં આવ્યું છે કે, રાપરમાં સ્વામિનારાયણ સાધુએ પાકિસ્તાનની જય બોલાવી, વિડીયો થયો વાયરલ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર દિવ્યભાસ્કર દ્વારા 12 ફેબ્રુઆરી, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાપરના ચિત્રોડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગત તા.10ના પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ પ્રસંગે ગુરુકુળના કેપી સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતા કી જય સાથે વિવિધ દેવી દેવતાઓનાં નામ બોલી ઉપસ્થિત જનસમૂહ પાસે જય બોલાવી હતી, જોકે જયઘોષની આખરમાં સ્વામીએ પાકિસ્તાન બોલતા જ સભાએ તુરંત જય બોલાવી હતી, આ સમયે ક્ષણભર માટે સભા મંડપમાં સોપો પડી ગયો હતો. જોકે, સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? અલબત્ત સ્વામીના રાષ્ટ્રભાવ જગાવવાના ભવાર્થનો અધૂરો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
ઉપરોક્ત વીડિયો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, રાહુલ ગાંધી પોતે નહીં પરંતુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી માટે આ નિવેદન આપી રહ્યા છે.
ઉપરોક્ત સમાચારમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, આ વિશે રાપર ગુરુકુળના કેપી સ્વામી સાથે વાત કરતા તેમણે સંપૂર્ણ ઘટના અંગે ખંડન કરતા જણાવ્યું હતું કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમ વેળાએ રાષ્ટ્રભવના લોકો કેટલા સચેત છે, તેવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, પરંતુ મારો ભાવાર્થ ખોટો નહોતો, જે દેશનું ખાઈએ છીએ અને પાકિસ્તાનની જય બોલો છો? એમ કહ્યું હતું. કોઈએ વીડિયો કાપી મને બદનામ કર્યો છે. જે વીડિયો છે તે અધૂરો છે, સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની જ વાત કરી છે.
આ સંપૂર્ણ વીડિયો ખોટી માહિતી અને અધૂરો હોવાની સ્પષ્ટતા કરતો એક અહેવાલ ન્યૂઝ18 ગુજરાતી દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
અન્ય કેટલાક સમાચાર માધ્યમો દ્વારા પણ આ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યો હતા. જે તમે અહીં જોઈ શકો છો. Jamavat | Gujarat Tak
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની જય બોલાવી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો અને એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ લોકોની પરીક્ષા લેવા માટે પાકિસ્તાનની જય બોલાવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો ‘પાકિસ્તાન કી જય’ બોલી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: Missing Context