જાણો દેશની તિજોરી પર પહેલો અધિકાર લઘુમતીઓનો એવું કહી રહેલા કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરના સમાચારના વાયરલ સ્ક્રીનશોટનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના નિવેદનના સમાચારનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર એવું કહી રહ્યા છે કે, અમે આજે પણ કહીએ છીએ દેશની તિજોરી પર લઘુમતીઓનો પહેલો અધિકાર. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના નિવેદનના સમાચારનો જે સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં આપેલા નિવેદનનો છે. આ નિવેદનને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પતન ના આરે તોય નય સુધરે..... આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર એવું કહી રહ્યા છે કે, અમે આજે પણ કહીએ છીએ દેશની તિજોરી પર લઘુમતીઓનો પહેલો અધિકાર.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર એબીપી અસ્મિતા દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 20 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, દેશની તિજોરી પર લઘુમતિઓનો પહેલો અધિકાર: જગદીશ ઠાકોર.
ઉપરોક્ત વીડિયોમાં તમે 1.20 મિનિટ પછી વાયરલ સમાચારના સ્ક્રીનશોટને જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના આજ નિવેદનના સમાચાર અન્ય મીડિયા માદ્યમો પર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Zee 24 Kalak | VTV News
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના નિવેદનના સમાચારનો જે સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં આપેલા નિવેદનનો છે. આ નિવેદનને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો દેશની તિજોરી પર પહેલો અધિકાર લઘુમતીઓનો એવું કહી રહેલા કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરના સમાચારના વાયરલ સ્ક્રીનશોટનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: Missing Context