
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં દરેક નાગરિકોને દસ્તાવેજોમાં એકસરખું જ નામ કરાવવા અંગેની માહિતી આપવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નામે પરિપત્રનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફેક પરિપત્ર છે જેની સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 22 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સરકારનો ડોક્યુમેન્ટ્સ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય જે અંતર્ગત ગુજરાતના નાગરિકોએ પોતાના પાનકાર્ડ આધારકાર્ડ ચૂંટણીકાર્ડ રેશનકાર્ડ દરેકમાં પોતાના પિતા માતા નું નામ જોડણી સ્પેલિંગ જે કંઈ પણ ભૂલ હોય તે સુધારી દરેકમાં એક સરખો કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે જે અંતર્ગત પરિપત્રમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન દરેક નાગરિકોએ સુધારો કરાવી લેવા વિનંતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં દરેક નાગરિકોને દસ્તાવેજોમાં એકસરખું જ નામ કરાવવા અંગેની માહિતી આપવામાં આવી છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ પરિપત્ર ફેક હોવા અંગેની ટ્વિટ એક જાણીતા પત્રકાર દ્વારા 22 ફેબ્રુઆરી, 2024 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો પરિપત્ર ફેક હોવાનું જણાવ્યું છે.
ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારના માહિતી ખાતાનો સંપર્ક કરતાં તેઓએ અમને આ પરિપત્ર ફેક હોવાનું જણાવ્યું હતું અને આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટના સંયુક્ત સચિવ રોનક મહેતા દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડીને વાયરલ થઈ રહેલો પરિપત્ર ફેક હોવાનું જણાવવામાં આવ્યું હતું એ પરિપત્ર પણ અમને તેઓ દ્વારા પ્રાપ્ત થયો હતો.

વધુમાં અમને ગુજરાત ફર્સ્ટ દ્વારા 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક સમાચાર પ્રાસરિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ પરિપત્ર ખોટો હોવાની માહિતી આપવામાં આવી છે.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં વાયરલ થઈ રહેલો પરિપત્ર ખોટો હોવા અંગેની માહિતી આપતા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. sandesh.com | gujaratmirror.in
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નામે પરિપત્રનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફેક પરિપત્ર છે જેની સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના નામે વાયરલ થઈ રહેલા પરિપત્રનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
