શું ખરેખર હાલની મોદીની રેલી બાદના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ દ્રશ્ય #કચરા_શેઠ મોદી ની કાલ ની ચૂંટણી રેલીનું છે….!! હવે શેયર કરી મોદી સુધી પહોંચાડો કે આ કચરો તો વિણો? શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તારીખ 14 ઓક્ટોબર 2019ના મોદીની રેલી બાદના દ્રશ્યો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, 14 ઓક્ટોબર 2019ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ કે કેમ.? દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, 14 ઓક્ટોબરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઈ રેલી ન હતી. તારીખ 15 ઓક્ટોબર 2019ના હરિયાણામાં તેમની બે રેલી હતી. જેની માહિતી ANI દ્વારા આપવામાં આવી હતી. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થયુ હતુ કે, તારીખ 14ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ રેલી ન હતી. તો પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ક્યારનો છે તે  જાણવું જરૂરી જણાતા અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને CHENNAIMEMES.IN દ્વારા વર્ષ 2018ના પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પાલઘરમાં ઉપચુનાવ દરમિયાન સ્મૃતી ઈરાનીની રેલી બાદના આ પ્રકારે દ્રશ્યો સર્જાયા હતા. જે આર્ટિકલ આપ નીચે જોઈ શકો છો. 

CHENNAIMEMES.IN | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, 14 ઓક્ટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ રેલીનું આયોજન કરવામાં આવ્યુ ન હતુ. તેમજ પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે વર્ષ 2018નો પાલઘરનો છે. હાલનો નથી. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, 14 ઓક્ટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ રેલીનું આયોજન કરવામાં આવ્યુ ન હતુ. તેમજ પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે વર્ષ 2018નો પાલઘરનો છે. હાલનો નથી.

Avatar

Title:શું ખરેખર હાલની મોદીની રેલી બાદના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False